વર્લ્ડ બેંકના આધારે ભારતની તુલનામાં બાંગ્લાદેશ આગળ રહેશે. તેનો જીડીપી દર વર્ષે 7 ટકા રહેવાનું અનુમાન છે, જ્યારે પાકિસ્તાનમાં આ દર ત્રણ ટકા રહેવાની સંભાવના છે.
GDP ગ્રોથ રેટના અનુમાનમાં ઘટાડો
વર્લ્ડ બેંકના અનુમાનમાં બાંગ્લાદેશ સૌથી આગળ
પાકિસ્તાનમાં જીડીપી દર 3 ટકા રહેવાની સંભાવના
દેશની મંદ અર્થવ્યવસ્થા અને કહેવાતી ધીમી ઈકોનોમીને લઈને વર્લ્ડ બેંકે ભારતના GDP ગ્રોથ રેટના અનુમાનમાં ઘટાડો કર્યો છે. વિશ્વ બેંકે સંભાવના કરી છે કે 2019-20ના નાણાંકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 5 ટકા રહેશે. જો કે બેંકનું કહેવું છે કે આવનારા નાણાંકીય વર્ષમાં ભારત તેમાં સુધારો કરી શકે છે અને આંકડો 5.8 ટકા સુધી પહોંચી શકે છે.
GDP ગ્રોથ રેટમાં બાંગ્લાદેશ સૌથી આગળ
વર્લ્ડ બેંકે કહયું છે કે ભારતની તુલનામાં પડોશી દેશ બાંગ્લાદેશ આગળ રહેશે. તેનો જીડીપી વિકાસ દર 7 ટકા રહેવાનું અનુમાન છે. જ્યારે પાકિસ્તાનમાં આ ગ્રોથ 3 ટકા રહેવાની સંભાવના છે.
2019-20માં ભારતનો વિકાસ દર 6 ટકા રહેવાનું અનુમાન
વિશ્વ બેંકે કહ્યું કે ભારતમાં બિન નાણાંકીય કંપનીઓ ઉધારમાં નબળી રહેશે. જ્યારે 2019-20માં વિકાસ દર ઘટીને 5 ટકા રહેશે. આવનારા વર્ષમાં તે સુધારા સાથે 5.8 ટકા સુધી પહોંચી શકે છે. બેંકે આ પહેલાં ઓક્ટોબર 2019માં અનુમાન કરતાં કહ્યું કે 2019-20માં ભારતનો વિકાસ દર 6 ટકા રહી શકે છે.
મંગળવારે સરકારે માન્યું કે ચાલુ નાણાંકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિ દર 11 વર્ષના નીચેના સ્તરે એટલે કે 5 ટકા સુધી રહી શકે છે. તેના એક દિવસ બાદ એસબીઆઈના અર્થશાસ્ત્રીઓએ આ અનુમાનને વધારે ગણાવ્યું હતું. વિશ્લેષકોએ ચાલુ નાણાંકીય વર્ષના સમયે આર્થિક વૃદ્ધિ દર પાંચ ટકા રહેવાનું સરકાર અગ્રિમ અનુમાનને આશાવાદી ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે આર્થિક વૃદ્ધિ દર નો આંક સરકારના અનુમાનથી ઓછામાં ઓછો 4.6 ટકા સુધી રહી શકે છે.
SBIના અર્થશાસ્ત્રીઓએ આપ્યું આ મંતવ્ય
SBIના અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર 4.6 ટકા રહી શકે છે જે સરકારના અનુમાનથી ઘણું ઓછું છે. ચાલુ બજાર મૂલ્ય પર અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દર 7.5 ટકા રહી શકે છે જે 42 વર્ષના નીચા સ્તરે હશે. SBIએ કહ્યું છે કે ચાલુ વર્ષેને માટે પોતાના વૃદ્ધિદરના અનુમાનને ઘટાડીને 4.6 ટકા કરી રહ્યા છે.
જાપાનની બ્રોકરેજ કંપની નોમૂરાએ કહ્યું કે ચાલુ નાણાંવર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 4.7 ટકા રહેશે અને આવનારા વર્ષમાં વધીને 5.7 ટકા સુધી પહોંચશે. ઘરેલૂ બ્રોકરેજ કંપની કોટક સિક્યોરિટીએ પણ ચાલુ વર્ષમાં વૃદ્ધિદર 4.7 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. જો કે યસ બેંકે કહ્યું છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં 4.9 ટકાની વૃદ્ધિના દરના અનુમાન પર તેઓ કાયમ છે.