મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે શુક્રવારે અહેવાલ આપ્યો છે કે નાણાકીય વર્ષ 2020-21 માં ભારતની જીડીપી ગ્રોથ શૂન્ય ટકા થઈ શકે છે. જો કે ત્યાર પછી વૃદ્ધિમાં સુધારો થશે અને નાણાકીય વર્ષ 2022 માં જીડીપીમાં 6.6 ટકાની વૃદ્ધિની અપેક્ષા છે.
દેશમાં આર્થિક પ્રવૃત્તિ સ્થગિત થયેલી છે જેના કારણે જીડીપી વૃદ્ધિ નબળી પડી છે
સરકારે ગરીબોની સહાય માટે 1.7 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે
હાલના લોકડાઉનથી વિકાસ દર પર ખૂબ ખરાબ અસર પડશે તે નક્કી છે
રેટિંગ એજન્સીએ સંકેત આપ્યો છે કે હાલમાં "Baa2 નેગેટિવ" રેટિંગમાંથી અપગ્રેડ થવાનો કોઈ અવકાશ દેખાતો નથી. કોરોનાવાયરસ સંકટને કારણે 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન અમલમાં છે. આર્થિક પ્રવૃત્તિ સ્થગિત થયેલી છે જેના કારણે જીડીપી વૃદ્ધિ નબળી પડી છે.
મૂડીઝે શુક્રવારે એક અહેવાલમાં લખ્યું છે કે નેગેટિવ આઉટલુકથી સ્પષ્ટ છે કે આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ નબળી પડી છે. કોરોનાવાયરસ ચેપને કારણે લોકડાઉન લાગુ છે અને કામકાજ અટકી ગયેલું છે, જેના કારણે સંસ્થાગત નબળાઇ વધી ગઈ છે. તેનાથી કંપનીઓ પર દેવાનો બોજ વધ્યો છે. સરકારે ગરીબોની સહાય માટે 1.7 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. ઉદ્યોગો માટે બીજા પેકેજ આપવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પગલાં થોડા ઘણા આર્થિક નુકસાનની ભરપાઇ કરી શકે છે, પરંતુ હાલના લોકડાઉનથી વિકાસ દર પર ખૂબ ખરાબ અસર પડશે તે નક્કી છે. ભારતીય મુદ્રા કોષે વર્ષ 2020 માં વિકાસ દર 5.8 ટકાથી ઘટીને 1.7 ટકા થવાનો અંદાજ લગાવ્યો છે, જ્યારે વર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં 2.8 ટકાની વૃદ્ધિ દર ઘટીને 1.5 ટકા થવાનો અંદાજ મૂક્યો છે.