કોરોના વાયરસ લોકો માટે જ નહીં પરંતુ અર્થવ્યવસ્થા માટે પણ ઘાતક નીવડી રહ્યો છે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇની મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્યા કાંતિ ઘોષે નાણાકીય વર્ષ 2020-21 માં દેશનો જીડીપી ગ્રોથ 2.6 ટકા સુધી સમેટાઇ જવાનું અનુમાન દર્શાવ્યું છે. ગત 30 વર્ષોમાં દેશની જીડીપીનો આ સૌથી નીચા સ્તર હશે.
રેટિંગ એજન્સી Crisil એ ભારતનો જીડીપી ગ્રોથ 3.5 ટકા પર પહોંચવાનું અનુમાન દર્શાવ્યું
આ ઉપરાંત રેટિંગ એજન્સી Crisil એ પણ ભારતીય અર્થવ્યવસ્થાને લઇને પોતાના અનુમાનમાં મોટો ઘટાડો કર્યો છે. એજન્સીએ ભારતનો જીડીપી ગ્રોથ 3.5 ટકા પર પહોંચવાનું અનુમાન દર્શાવ્યું છે. આ પહેલા એજન્સીએ આર્થિક ગ્રોથ 5.2 ટકા રહેવાની ભવિષ્યવાણી કરી હતી.
એસબીઆઇ (SBI) ના આર્થિક સલાહકારે કહ્યું કે 21 દિવસના લૉકડાઉનથી 8 લાખ કરોડ રૂપિયા સુઘીનું નુકસાન થશે. આ ઉપરાંત કમાણીમાં 1.77 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવશે. પ્રતિ વ્યક્તિ કમાણીની વાત કરવામાં આવે તો આ 1.7 લાખ કરોડ રૂપિયા સુધી હશે.
એસબીઆઇએ પોતાના અનુમાનમાં 21 દિવસોના લૉકડાઉનને પગલે જીડીપીમાં હાજર ગ્રોથની તુલનામાં 1.7 ટકાનો ઘટાડો આવવાની આશંકા દર્શાવાઇ છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પણ આ ગતિએ ઘટાડાની આશંકા છે અને દુનિયાની જીડીપીમાં ભારતની ભાગીદારી 3.5 ટકા ભાગીદારી રહેવાની આશા વ્યક્ત કરાઇ છે. જ્યારે પૂર્ણ થવા જઇ રહેલા નાણાકીય વર્ષ 2019-2020ની જીડીપી 5 ટકાની જગ્યાએ માત્ર 4.5 ટકા પર રહેવાની આશંકા છે. ચાલુ નાણાકીય વર્ષની ચોથા ત્રિમાસિક ગાળામાં લૉકડાઉનને પગલે માત્ર 2.5 ટકા જ જીડીપી ગ્રોથનું અનુમાન છે. તેને કારણે આખા વર્ષનો જીડીપી ગ્રોથ પ્રભાવિત થશે.