વિશ્વ બેંકનું માનવું છે કે ચાલુ નાણાંકીય વર્ષ ભારતની ઇકોનોમી 3.2 ટકા સિમિત રહેવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. વર્લ્ડ બેંકે જણાવ્યું કે કોવિડ-19 મહામારી અને કેટલાક તબક્કાના લોકડાઉનની ભારતીય અર્થવ્યવસ્થા પર તેની અસર જોવા મળશે. વિશ્વ બેંક પહેલા પણ કેટલીક રેટિંગ એજન્સીઓએ ભારતની વૃદ્ધિ દરમાં ઘટાડો જણાવ્યો હતો. આમ હવે વર્લ્ડ બેંક મુજબ ભારતનો જીડીપી ગ્રોથ 3.2 ટકા થાય તેવું અનુમાન લગાવામાં આવ્યું છે.
વિશ્વ બેંકે અર્થવ્યવસ્થાને લઈને આંકડા જાહેર કર્યા
નાણાંકીય વર્ષ 2020-2021માં નહીં વધે ભારતનો વિકાસદર
ભારતના અર્થતંત્ર પર કોરોનાની વ્યાપક અસર હોવાનું તારણ
વિશ્વની અનેક આર્થિક એજન્સીઓએ ભારતના GDP દરનો આંક ઘટાડ્યા બાદ હવે વર્લ્ડ બેંકે પણ ભારતની અર્થવ્યવસ્થા 3.2 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. ભારતમાં લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો જેના કારણે અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે.
વિશ્વ બેંકે ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટના તાજા અંકમાં ભારતની અર્થવ્યવસ્થા અંગે આંકડા જાહેર કર્યા છે. જેમાં GDP દર ઘટીને 3.2 ટકા સુધી જઈ શકે છે. વર્ષ 2019-20માં 4.2 GDP દર હતો. જોકે વિશ્વ બેંકે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં 2021માં ફરી એકવાર ઉછાળો આવી શકે છે.
કોરોના વાયરસની અસર દુનિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ પડવાની છે. વર્લ્ડ બેંકે પોતાની નવી રિપોર્ટ ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટને લઇને ચિંતા વ્યક્ત કરી છે. વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ મલપાસના અનુસાર 1870 પછી આ પહેલી વખત હશે.
જ્યારે મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી આવશે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 1870 પછી અત્યાર સુધીમાં કુલ 14 વખત મંદી જોવા મળી છે. આ મંદી 1876, 1885, 1893, 1908, 1914, 1917-21, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009 અને 2020માં આવી છે.