સંસદની કાર્યવાહી દરમિયાન લોકસામાં સાંસદ એસ જગતરક્ષકન, રાજીવ રંજન સિંહ, એકેપી ચિનરાજ, કૌશલેંદ્ર કુમાર અને મુરલીધરને સરકારને પૂછ્યું કે GDP ઘટડાવનું કારણ નોટબંધ તો નથી. શું સરકાર GDP પર નોટબંધી અને કોવિડ-19ના અસરનું આંકલન કરવામાં આવ્યું છે.
આ સવાનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી સ્ટેટીક્સ અને પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશન (આંકડા શાસ્ત્ર) (Statistics and Programme Implementation Minister) રાવ ઇંદ્રજીત સિંહે કહ્યું કે કોરોના વાયરસ અને તેને રોકવા માટે લગાવામા આવેલા લોકડાઉનના કારણે આ વર્ષના પહેલા ત્રિમાસિકમાં GDPમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે. નોટબંધીનો તેની સાથે કોઇ લેવા દેવા નથી. મંત્રીએ કહ્યું કે વર્ષ 2019-20ના પહેલા ત્રિમાસિકમાં GDP રેટ 5.2 ટકા હતો.
કેમ જોવા મળ્યો દેશના GDPમાં ઘટાડો
કેન્દ્રીય મંત્રી રાવ ઇંદ્રજીત સિંહે કહ્યું કે નાણાંકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિકમાં કોરોના વાયરસના કારણે માઇનિંગ, ઉત્પાદન, કન્સ્ટ્રકશન, હોટલ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ, સર્વિસસેકટર વગેરેમાં ભારે ઘટાડો જોવા મળ્યો. માત્ર ખેતી, ફોરેસ્ટ્રી અને માછલી પાલન ક્ષેત્રમાં પહેલા ત્રિમાસિકમાં તેજી જોવા મળી છે. જેના કારણે GDPમાં ઘટાડો નોંધાયો.
GDP ગ્રોથની ઝડપ વધારવા માટે સરકાર શું કરી રીહે છે?
રાવ ઇન્દ્રજીત સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થા પર કોવિડ-19ના નકારાત્મક પ્રભાવને ઘટાડવા માટે કેટલાક ઉપાય કર્યા છે. જેમાં લોકોને બેંક એકાઉન્ટમાં સીધા રોકડ ટ્રાન્સફર, કોરોનાથી પ્રભાવિત લોકોની આર્થિક મદદ, મનરેગ હેઠળ કામ કરવાનારા લોકોની મજદૂરીમાં વૃદ્ધિ અને કન્સટ્રકશન વર્કમાં લાગેલા શ્રમિકોને સહાયતા ઉપલબ્ધ કરાવાનું સામેલ છે.