પ્રધાનમંત્રી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવાના છે
આતંકી હુમલાના ઈનપુટ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ
આતંકી હુમલાના ઈનપુટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને જોતા આઠ સપ્ટેમ્બરે ઈંડિયા ગેટ સર્કલ સંપૂર્ણપણે બંધ રહેશે. ઈંડિયા ગેટના તમામ દસ માર્ગ તથા કર્તવ્યપથથી નજીક આવેલા રસ્તાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આઠ સપ્ટેમ્બરે બસોને નવી દિલ્હીના વિસ્તારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ત્યારે આવા સમયે દિલ્હીવાસીઓએ આઠ ઓગસ્ટના રોજ મોટા પાયે જામનો સામનો કરવો પડશે. આવું પહેલી વાર થઈ રહ્યું છે કે, જ્યારે રાષ્ટ્રીય પર્વ ઉપરાંત ઈંડિયા ગેટ સંપૂર્ણપણે બંધ રહેશે. કર્તવ્યપથી આજૂબાજૂના કાર્યાલય બંધ રહેશે. તેને લઈને દિલ્હીવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
પ્રધાનમંત્રી મોદી સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પ્રોજેક્ટનું આઠ સપ્ટેમ્બરના રોજ ઉદ્ધાટન કરશે. આ સમયે આંતકી હુમલાના ઈનપુટ પણ મળ્યા છે. ત્યારે આવા સમયે પ્રધાનમંત્રીની સુરક્ષાને જોતા સુરક્ષા એજન્સી સામે મોટો પડકાર છે. પ્રધાનમંત્રીની સુરક્ષાને જોતા ઈંડિયા ગેટને આઠ સપ્ટેમ્બર સાંજે છ વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા સુધી બંધ રહેશે. ઈંડિયા ગેટના તમામ દશ માર્ગ અને કર્તવ્યપથની આજૂબાજૂના વાહનો પણ બંધ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત નવી દિલ્હીમાં કોઈ બસ આવી શકશે નહીં. આઠ તારીખના રોજ બસોને નવી દિલ્હીની બહાર જ રાખવામાં આવશે. લોકોની મુશ્કેલીઓ જોતા ટ્રાફિક પોલીસ ટૂંક સમયમાં એડવાઈઝરી જાહેર કરશે.