કોરના સંકટ વચ્ચે ભારતના વિદેશી હુંડિયામણના ભંડોળ પર સતત સારા સમાચાર મળી રહ્યાં છે. રિઝર્વ બેંકે જાહેર કરેલા હાલના આંકડા જણાવી રહ્યાં છેકે પહેલીવાર વિદેશી મુદ્રા ભંડાર 500 અરબ ડોલરની સપાટીને પાર થઇ ગયો છે.
5 જૂનના રોજ પુરા થયેલા અઠવાડિયામાં 8.22 અરબ ડોલરનો વધારો થયો
29 મેના રોજ પુરા થયેલા અઠવાડિયામાં મુંદ્ર ભંડાર 3.44 અરબ ડોલર પર હતો
શું કહે છે આંકડાઓ?
આંકડો મુજબ 5 જૂનના રોજ પુર થયેલ સપ્તાહમાં 8.22 અરબ ડોલરનો વધારો થયો છે, આ કારણોસર વિદેશી મુદ્રા ભંડાર વધીને 501.70 અરબ ડોલર પર પહોંચ્યો છે. વિદેશી મુદ્રા ભંડારની આ રકમ એક વર્ષના આયાતના ખર્ચ બરાબર છે.
આ પહેલા 29 મેના રોજ પુરુ થયેલ અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 3.44 અરબ ડોલર વધીને 463.48 અરબ ડોલર થઇ ગયો હતો. જો બીજા દેશો સાથેના ભારતના વિદેશી મુદ્રા ભંડારની સરખામણી કરીએ તો ચીન અને જાપાન પછી ત્રીજા સ્થાન પર પહોંચ્યું છે.
કેમ જોવા મળી રહી છે તેજી ?
વિદેશી મુદ્રા ભંડરના વધવાના ઘણા કારણ છે. પણ સૌથી મોટું કારણ કાચુ તેલ (ક્રુડ ઓઇલ)ની ડિમાંડમાં ઘટાડો છે. ખરેખર, ભારતમાં ગત માર્ચ મહિનામાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે ક્રૂડ ઓઇલની ડિમાંડ ઘટી ગયેલી જોવા મળી હતી.
આ સિવાય ક્રૂડ ઓઇલની કિંમતમાં ભારે ઘટાડાના એ પણ વિદેશી મુદ્રા ભંડારને સપોર્ટ કર્યો છે. જો સરળ ભાષામાં સમજીએ તો ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો તેમજ ઓછી ખરીદદારી થઇ છે. આ કારણોસર સરકારને ઓછા ડોલરની ચૂકવણી કરવી પડી.
આમ ઓછા ડોલરની ચુકવણીના કારણે બચત થઇ અને વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો. આ સાથે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં વિદેશી કંપનીઓનું ભારતીય માર્કેટમાં રોકાણ વધ્યું છે. જ્યારે વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાં એકવાર ફરી રૂપિયા નાંખવાનું શરૂ કરી દીધું છે.