દેશની પહેલી રામાયણ વાટિકા બનીને તૈયાર થઈ ગઈ છે. દેશ વિદેશમાં જોવા મળતી વનસ્પતિને અનોખી રીતે સંરક્ષિત કરનારા ઉત્તરાખંડ હલ્દ્વાની ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરે હવે વધુ એક અનોખો પ્રયોગ કરતા રામાયણ વટિકા તૈયાર કરી છે. વાટિકામાં વાલ્મીકિ રામાયણમાં વર્ણન કરાયેલી ઉત્તરાખંડની સંજીવની બુટીથી લઈને શ્રીલંકામાં જોવા મળતી નાગકેશર સહિતના 149 વનસ્પતિઓને સંરક્ષિત કરવામાં આવી છે. વાલ્મીકી રચિત રામાયણમાં અરણ્ય કાંડ નામના અધ્યાયમાં શ્રી રામના 14 વર્ષના વનવાસનું વર્ણન છે.
રામ દેશના 6 જંગલોમાંથી પસાર થયા હતા
નાગકેશર સહિતના 149 વનસ્પતિઓને સંરક્ષિત કરવામાં આવી
વનસ્પતિમાં સમય જવા છતાં તેમાં કોઈ ફેરફાર થયો નથી
અયોધ્યાથી શ્રીલંકા સુધીની સફર દરમિયાન રામ દેશના 6 જંગલોમાંથી પસાર થયા હતા. જેમાં ચિત્રકૂટ, દંડકારણ્ય, પંચવટી, કિષ્કિન્ધા, અશોક વાટિકા અને દ્રોણાગિરી વનનો સમાવેશ થાય છે. આ જંગલોને ઉષ્ણ કટીબંધીય પાનખર જંગલો, શુષ્ક પાનખર જંગલો, શુષ્ક અને ભેજવાળા પાનખર જંગલો, સદાબહાર જંગલો અને અલ્પાઇન જંગલો પણ કહેવામાં આવે છે. આ જંગલોના ચાર ગુણો છે. જેને શાંત, મધુર, રુદ્ર અને વિભત્સ જંગલો તરીકે ઓળખવામાં આવ્યા છે. તે જ પ્રકારની વનસ્પતિ પણ આ જંગલોમાં જોવા મળે છે. ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ રામાયણ કાળથી અત્યાર સુધીમાં આ જંગલો હાલમાં બહુ ફેરફાર થયો નથી. તેમજ અહીં તમામ પ્રકારની મલ્ટીઉપયોગ અને દુર્લભ વનસ્પતિઓ જોવા મળે છે. રિસર્ચ બાદ આ વનસ્પતિઓને સાચવવામાં માટે આ રામાયણ વાટિકા તૈયાર કરવામાં આવી છે.
આ વાટિકામાં વનસ્પતિના ચિત્રની સાથે તેનું વર્ણન તેમજ તે ક્યાં જોવા મળે છે અને રામના પ્રવાસ સાથેના તેના સંબંધ અંગે વાત કરતા બોર્ડ લગાવવામાં આવ્યા છે.
- ચિત્રકૂટનો અર્થ છે કે અનેક આશ્ચર્યવાળી પહાડી. તે યુપીના ચિત્રકૂટથી મધ્યપ્રદેશ સુધી ફેલાયેલ છે. વનવાસ બાદ રામે પહેલો આશ્રય અહીં લીધો હતો.
- દંડકારણ્ય વન જ્યાં દંડકર્ણ્ય નામનો રાક્ષસ રહેતો હતો. જેનો વધ શ્રીરામે કર્યો હતો. આ વન છત્તીસગઢના બસ્તર જિલ્લાથી તેલંગાણા સુધી ફેલાયેલું છે.
- જ્યાં સીતાનું રાવણ દ્વારા હરણ થયું તે પંચવટી વન મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ગોદાવરી નદીના કાંઠે આવેલ છે.
- કિષકિન્ધા વન જ્યાં શ્રી રામને હનુમાન અને સુગ્રીવની મુલાકાત થઈ હતી. જે કર્ણાટકના બેલેરી જિલ્લામાં આવેલું છે.
- જ્યાં સીતાનું હરણ કરી રાવણે રાખ્યા હતા તે અશોક વાટિકા શ્રીલંકાના નુવારા એલિયા શહેરમાં હકાગલા બોટનિકલ ગાર્ડનમાં આવેલ છે.
રામાયણના સમયગાળા દરમિયાન વાલ્મિકી રામાયણમાં જે વનસ્પતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ આમાંથી ઘણી વનસ્પતિ દુર્લભ અને ઉપયોગી છે. સારી વાત એ છે કે સમય જવા છતાં તેમાં કોઈ ફેરફાર થયો નથી. રામાયણ વાટિકા આ વનસ્પતિને પ્રિઝર્વ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. - સંજીવ ચતુર્વેદી, ફોરેસ્ટ રિસર્ચ સેન્ટર