હવે ખેડૂતો પણ ખેતરમાં ડીઝલની જગ્યાએ CNGના ટ્રેક્ટર ચલાવશે અને તેના માટે ભારત સરકાર દ્વારા તૈયારી કરી લેવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોન્ચ કર્યું ભારતનું પહેલું CNG ટ્રેક્ટર
આ જૂનું ડીઝલ ટ્રેક્ટર હતું જેમાં CNG ફિટ કરવામાં આવ્યું છે
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ કાર્યક્રમમાં રહ્યા હાજર
આ ટ્રેક્ટરથી ખેડૂતના પ્રોફિટમાં વધારો થશે અને ગ્રામીણ ભારતમાં રોજગારી મળશે
નીતિન ગડકરીએ કર્યું લોન્ચ
કેન્દ્રમંત્રી નિતિન ગડકરી શુક્રવારે ભારતમાં પહેલું સીએનજી ટ્રેકટર બજારમાં લોન્ચ કર્યું છે. સરકારે ગુરુવારે 11 ફેબ્રુઆરીએ આ જાણકારી આપી અને કહ્યું તેનાથી બળતણમાં વર્ષે લગભગ એક લાખ રુપિયાની બચત થશે. ટ્રેક્ટરને ડિઝલમાંથી સીએનજીમાં બનાવામાં આવ્યું છે. આ ટ્રેક્ટર એક જૂનું ડીઝલ ટ્રેક્ટર હતું જેને CNGમાં ફેરવવામાં આવ્યું છે. આ અવસર પર નીતિન ગડકરીએ કહ્યું કે ખેડૂતોને આ ટ્રેક્ટરની મદદથી વર્ષે 1.5થી 2 લાખ રૂપિયાની બચત થશે અને ઈંટની ભઠ્ઠીઓમા કામ કારનારાઓને 3 લાખ રૂપિયાની મદદ થશે.
કોણે કર્યુ આ ટ્રેક્ટરમાં પરીવર્તન
રાવમૈટ ટેક્નો સૉલ્યુશંસ અને ટૉમાસેટો એશિલ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રુપથી તેનુ પરીવર્તન અને વિકાસ કરવામાં આવ્યો છે. તેનો હેતુ ખેડૂતના પ્રોફીટને વધારવો અને ભારતના ગ્રામીણ વિસ્તારને રોજગારી આપવાનો છે. આ લોન્ચીંગ દરમિયાન કેન્દ્રમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, પરષોત્તમ રુપાલા અને વી કે સિંહ પણ હાજર હતા. તે પણ જણાવામાં આવ્યું કે, ખેડૂતના માટે આ મહત્તવનો લાભ છે, તેમા બળતણમાં દર વર્ષે એક લાખ રુપિયાથી વધારે બચત થઈ શકે છે. જેથી તેમની આજીવિકામાં સુધાર આવી શકે.
ખેડૂત માટે આ ટ્રેક્ટર કેમ છે ફાયદાકારક
સીએનજી ટેન્ક વધારે સુરક્ષિત છે કારણ કે તેનું સીલ વધારે ફીટ રાખવામાં આવ્યું છે જેથી તેનું બળતણ ભરવાથી ફેલાય નહી અને તેનાથી વિસ્ફોટનો ખતરો પણ ઓછો રહે છે. અત્યારે સીએનજી માર્કેટમાં વધારે છે, વર્તમાનમાં દુનિયા ભરમાં લગભગ 1.2 કરોડ વાહન પહેલેથી જ નેચર્લ ગેસથી ચાલે છે. વધારેમાં વધારે હજી રોજ બીજી કંપનીઓ અને નગરપાલિકા સીએનજી વિતરણમાં નિવેશ કરી રહી છે. ડીઝલના કમ્પેરમાં સીએનજીમાં કાર્બન ઉત્સર્જનમાં 70 % ઓછો વપરાય છે. જેથી ખેડૂતનs બળતણમાં 50 % સુધીની બચત થઈ શકે છે.