કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતમાં આર્થિક સુધારોના સૂત્રધાર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ મનમોહનસિંહને યાદ કરતા કહ્યું કે દેશને તેમના જેવા એક પ્રધાનમંત્રીની ખોટ સાલવી રહી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે ભારત આજે એવા પ્રધાનમંત્રીની ખોટ મહેસૂસ કરી રહ્યું છે, જેમાં મનમોહનસિંહ જેવી સમજ હોય. તેમના જેવી ઇમાનદારી હોય, શાલીનતા અને સમર્પણ આપણા બધા માટે એક પ્રેરણા સ્ત્રોત છે. તેમને જન્મદિવસની ઘણી બધી શુભેચ્છા અને સ્વાસ્થ્ય માટે શુભકામના.
India feels the absence of a PM with the depth of Dr Manmohan Singh. His honesty, decency and dedication are a source of inspiration for us all.
26 સપ્ટેમ્બરે 1932માં જન્મેલા ડો. મનમોહનસિંહ 2004થી 2014 સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા. મનમોહનસિંહ પોતાની સાદગીને લઇને દેશના અન્ય પ્રધાનમંત્રી કરતા અલગ છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને એક અર્થશાસ્ત્રી તરીક ઓળખવામાં આવે છે.
તેમને 1990ના દાયકામાં ઉદારીકરણની નીતિ દ્વારા ભારતીય અર્થવ્યવસ્થાને સંકટમાંથી બચાવી હતી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કરનારા ડો. મનમોહન સિંહ પીવી નરસિમ્હરાવની સરકારમાં નાણામંત્રી રહ્યાં હતા. જો કે મનમોહનસિંહ RBI બેંકના પૂર્વ ગર્નવર તરીકે 1991માં આર્થિક સુધારાની દિશામાં ઘણા મહત્વના પગલા લીધા હતા.