અમેરિકામાં માનવ અધિકાર ભંગને લઇ ભારત ચિંતિતઃ વિદેશમંત્રી
અમેરિકાના વિદેશમંત્રીએ ભારતમાં માનવ અધિકાર મુદ્દે ઉઠાવ્યા હતા સવાલ
અમેરિકાના વિદેશમંત્રીએ માનવ અધિકાર મુદ્દે કરેલી ટિપ્પણી પર વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાને જવાબ આપતા કહ્યું હતું કે, 'અમને પણ અમેરિકાને લઈને ચિંતા છે.' માનવ અધિકાર ઉલ્લંઘનના આરોપો પર ભારતે અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે. વોશિંગ્ટનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાને પોતાને ત્યાં માનવ અધિકાર ઉલ્લંઘનના મામલાઓની યાદ અપાવી છે. ટુ પ્લસ ટુ મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચે વધુ સારા સંબંધો બનાવવા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ ત્યાર બાદ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને માનવ અધિકાર અંગે સલાહ આપીને ભારતને અસ્વસ્થ કરી દીધું હતું.
#WATCH | Washington, DC: On human rights issue, EAM says, "No, we(India-US)didn't discuss human rights...People are entitled to have views about us. But we're also equally entitled to have views about their views...Whenever there's discussion, won't be reticent about speaking up" pic.twitter.com/vp5CO9QAR4
એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, અમેરિકા ભારત સરકાર, પોલીસ અને જેલ અધિકારીઓ દ્વારા માનવ અધિકાર ઉલ્લંઘનના મામલાઓ પર નજર રાખી રહ્યું છે. જેની પર વિદેશ મંત્રી એસ જયશંકરે પણ વળતો પ્રહાર કર્યો અને સ્પષ્ટપણે કહી દીધું કે, અમેરિકાને લઈને અમારી ચિંતા પણ આવી જ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, દ્વિપક્ષીય વાટાઘાટોમાં માનવ અધિકારના મુદ્દાઓ પર ચર્ચા નથી થઈ.
માનવ અધિકાર પર અમેરિકાના આરોપો પર ભારતનો જવાબ
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે વધુમાં કહ્યું કે, 'અમેરિકા પર પોતાનો જ માનવ અધિકારના મામલામાં ઉલ્લંઘનનો આરોપ છે. તેમણે કહ્યું કે ખાનગી હિત, લૉબી અને વોટ બેંક દ્વારા અમેરિકન સ્થિતિ સંચાલિત થઈ રહી છે. જ્યારે પણ આ અંગે ચર્ચા થશે ત્યારે ભારત તેની પર ચૂપ નહીં બેસે. અમેરિકા સહિત માનવ અધિકારની સ્થિતિ પર ભારતના વિચાર છે. અમે માનવ અધિકારના મુદ્દાઓને ત્યારે ઉઠાવીએ છીએ કે જ્યારે તે દેશમાં ઉદભવે છે, ખાસ કરીને જ્યારે તે આપણા સમુદાય સાથે સંબંધિત હોય.
Jaishankar responds to Blinken's remarks on human rights, refers to 'lobbies, vote banks' in US
અમારી પાસે પણ અન્ય દેશોના માનવ અધિકારો પર વિચાર છે - એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, લોકોને અમારા વિશે અભિપ્રાય રાખવાનો અધિકાર છે. અમે તેમની લૉબી અને વોટ બેંક વિશે વિચારવાના પણ હકદાર છીએ. અમે ધીરજ રાખીશું નહીં. અમારી પાસે પણ અન્ય લોકોના માનવ અધિકારો પર પણ વિચાર છે, ખાસ કરીને તે જ્યારે અમારા સમુદાયથી સંબંધિત હોય છે. વાસ્તવમાં, યુક્રેનના યુદ્ધને લઈને ભારતે અત્યાર સુધી તટસ્થ નીતિ અપનાવી છે, જ્યાર બાદ અમેરિકા અન્ય મુદ્દાઓ પર ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયા પાસેથી હથિયારો અને તેલની ખરીદીને લઈને પણ અમેરિકા તરફથી ભારત પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે.