લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે દુનિયા આજે અસુરક્ષાથી ઘેરાયેલી છે. દુનિયામાં લોકોને આતંકી હુમલાનો ભય સતત રહે છે. ભારત આતંક ફેલાવનાર વિરુધ્ધ મજબૂતીથી લડી રહ્યાં છે.
પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદને સમર્થન આપનારાઓને અમે દુનિયા સમક્ષ ખુલ્લુ પાડીશું અને આતંકીઓનો ખાત્મો કરીશું. કેટલાંક લોકોએ માત્ર ભારતને નહીં આપણા પાડોશી દેશોને પણ આતંકવાદથી પરેશાન કરી રાખ્યાં છે.
બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા આતંકવાદ સામે લડી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત એવામાં મૂકદર્શક બનીને રહેશે નહીં. આતંકવાદને એક્સપોર્ટ કરનારાને વિશ્વ સમક્ષ ઉઘાડા પાડવાનો સમય આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકી હુમલામાં 40 ભારતીય જવાન શહીદ થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. તે અગાઉ પઠાણકોટમાં જૈશ તરફથી આતંકી હુમલો કર્યો હતો.
PM Modi: Those who give protection to terrorism and support it must be exposed. Bangladesh, Afghanistan, Sri Lanka also are affected by terrorism. All countries in the world need to come together to fight this menace pic.twitter.com/Ca56o8nOGB
જો કે ભારતે તેનો બદલો લીધો હતો. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી જૈશના કમાન્ડર સહિત આતંકીઓને ઠાર કર્યા હતા. આ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હજી સુધી બેચેન છે.
જ્યારે બીજી તરફ શ્રીલંકામાં એપ્રિલમાં ઇસ્ટરના દિવસે ત્રણ ચર્ચ અને ત્રણ હોટલ પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં અંદાજે 360 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 500થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે જુલાઇમાં અફઘાનિસ્તાનના ગજની વિસ્તારમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા.