હાલ દેશમાં યુવાનોને રોજગારીનો મુદો ચર્ચાનો વિષય છે. ત્યારે એક સર્વેએ ચોકાવનારું તારણ બહાર પાડ્યું છે. સર્વે મુજબ ભારતમાં વર્ષે 1 કરોડ નોકરીઓની કોઈ જરૂર નથી દેશમાં 50 લાખ નોકરીઓની જ આવશ્યકતા છે.
આ અભ્યાસ અર્થશાસ્ત્રી સુરજિત ભલ્લાએ તૈયાર કર્યો છે. ભલ્લાએ પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પદ પરથી રાજીનામું આપ્યું છે. ભારતમાં રોજગારી મામલાની વાસ્તવિકતા ટૂંક સમયમાં લોકો સુધી પહોંચાડવામાં આવશે.
ભાજપ કોંગ્રેસ યુવાનોની રોજગારી મામલે વાતો કરી રહી છે પરંતુ તેમને હકીકતમાં કેટલી નોકરીઓની જરૂર છે તે ખબર જ નથી. ભલ્લાના મતે દેશમાં વર્ષે 53 લાખ નોકરીઓની જરૂર છે.
આપણા ત્યા રઘુરામ રાજન જેવા અલગ અલગ લોકો છે. જે કહી રહ્યા છે કે ભારતમાં વર્ષે 1 કરોડ 20 લાખ નોકરીઓની જરૂર છે પરંતુ આટલી નોકરીઓની જરૂર છે તે વાતનો કોઈ નક્કર પૂરવો નથી અને આ મામલે રાજકીય પાર્ટીઓ પણ કરોડો નોકરીઓની વાતો કરે છે અસલમાં તેમને પણ વાસ્તવીકતાની ખબર નથી.