નાણાકીય વર્ષ 2020-21માં ઇકોનોમીમાં 7.7 ટકા ઘટાડો આવી શકે છે. આનું મુખ્ય કારણ કોવિડ-19 મહામારીથી અસરગ્રસ્ત થયેલી ઇકોનોમી છે. સરકારે પહેલા અગ્રિમ અનુમાનમાં આ વાત કહી છે. ગત નાણાકીય વર્ષમાં ઇકોનોમી 4.2 ટકા વધી હતી. નેશનલ સ્ટૈટિસ્ટિકલ ઑફિસ(NSO)એ ગુરૂવારે નેશનલ ઇનકમનો પહેલો અગ્રિમ અનુમાન જાહેર કર્યું.
કોરોના મહામારી વચ્ચે ઇકોનોમીમાં ઘટાડો
GDPને લઇને કેન્દ્રનું પ્રથમ અનુમાન
2020-21માં આવશે 7.7 ટકાનો ઘટાડો
દેશભરમાં ફેલાયેલી મહામારી વચ્ચે ઇકોનોમીમાં ખુબ જ ઘટાડો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2020-21માં દેશના GDPમાં લગભગ 7.7 ટકાનો ઘટાડો જેવા મળી શકે છે. NSO તરફથી રાષ્ટ્રીય આવકનું પ્રથમ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં GDP 134.50 લાખ કરોડ રૂપિયા રહેશે.
NSO તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2019-20માં આ આંકડો 145.66 લાખ કરોડ રૂપિયા હતો. GDP આ વર્ષે 7.7 ટકાનો ઘટાડો થઇ શકે છે. નાણાકીય વર્ષ 2019-20માં GDP 4.2 ટકા દરથી વધ્યો હતો.
તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા વર્લ્ડ બેંકે ભારતીય અર્થવ્યવસ્થામાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં 9.6 ટકાનો ઘટાડાનું અનુમાન લગાવ્યું છે. અર્થવ્યવસ્થામાં આવેલ ઘટાડો ઘરેલૂ ખર્ચાઓ અને ખાનગી રોકાણમાં વધતી અછત દર્શાવે છે.
આ સિવાય ઇન્ડિયા રેટિંગ્સે બીજી ત્રિમાસિક(જુલાઇ-સપ્ટેમ્બર)માં અર્થવ્યવસ્થામાં આશાથી સારા સુધારાને ધ્યાને રાખતા ચાલુ નાણાકિય વર્ષ 2020-21માં સકલ ઘરેલૂ ઉત્પાદન(જીડીપી)માં ઘટાડાના પોતાના અનુમાનને ઘટાડીને 7.8 ટકા કરી દીધો હતો. આ પહેલા રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકિય વર્ષમાં અર્થવ્યવસ્થામાં 11.8 ટકા ઘટાડાનું અનુમાન લગાવાયું હતું.