અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે મિત્રતાની નવી શરૂઆત ભારતના આર્થિક અન રણનીતિક હિતમાં છે. આ જ કારણ છે કે સિંગાપુરના સેન્ટોસામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનની ઐતિહાસિક સમિટનું ભારતે જોરદાર સ્વાગત કર્યું છે. ભારત પહેલાથી જ ટ્રંપ અને કિમની મુલાકાત પર ચોક્કસાઇ પૂર્વક નજર રાખી રહ્યા હતા.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તર કોરિયા અને પાકિસ્તાન વચ્ચે અંતર વધ્યું છે જે હવે પૂર્ણ થઇ શકે છે. એનું કારણ એ છે કે અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાના પ્રતિબંધના કારણએ કોઇ દેશ ઉત્તર કોરિયા સાથે સંબધ રાખી રહ્યું નહતું.
ભારત સતત ઉત્તર કોરિયા અને પાકિસ્તાનની વચ્ચે ગઠબંધનનો મામલો ઊઠાવતું રહ્યું છે. વાસ્તવમાં જેનો ફાયદો પાકિસ્તાન ઊઠાવી રહ્યો હતો. એ ઉત્તર કોરિયાને ભારત વિરુદ્ધ ઊભો કરવા માંગતો હતો.
જો કે ભારત ઇચ્છતું હતું કે ઉત્તર કોરિયા પોતાના પરમાણિ કાર્યક્રમને ખતમ કરી દે અને આ મીટિંગમાં એ થયું. જ્યારે ટ્રંપ અને કિમની મુલાકાતની તારીખ નક્કી થઇ તો ભારત તરત હરકતમાં આવી ગયું અને કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહએ ઉત્તર કોરિયાની મુલાકાત કરી હતી.
એ દરમિયાન ઉત્તર કોરિયાએ આશ્વાસન આપ્યું હતું કે એ ભારતની સુરક્ષા માટે જોખમ પેદા કરનારી કોઇ પણ ગતિવિધિઓને પરવાનગી આપશે નહીં. એના ભારતની ચિંતા ખૂબ ઓછી થઇ છે.