કોરોનાનાં કેસો ઘટતાં આ 6 દેશોનાં યાત્રિકો માટેની ગાઈડલાઈનને અપડેટ કરતી ચિઠ્ઠી ભારત સરકારનાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લખી છે.
કોરોનાનાં કેસોમાં થયો છે સતત ઘટાડો
'એયર સુવિધા' ફોર્મની અનિવાર્યતાને કરી દૂર
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે લખી ચિઠ્ઠી
ભારત સરકારે કોરોનાનાં કારણે 6 દેશો માટે કેટલાક ફરજિયાત કરવામાં આવેલા નિયમોમાં રાહત આપી છે. હવે આ દેશોથી આવનારાં યાત્રિકોએ કોરોનાનાં ટેસ્ટની રિપોર્ટ અને 'એયર સુવિધા' ફોર્મ અપલોડ કરવાની જરૂરિયાત રહેશે નહી.
આ 6 દેશોને મળ્યાં રાહતનાં સમાચાર
જો કે 2% યાત્રિકોનું રેન્ડમ ટેસ્ટિંગ તો ચાલુ જ રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ચિઠ્ઠી લખીને આંતરરાષ્ટ્રીય યાત્રિકો માટેની ગાઈડલાઈન અંગે માહિતી આપી હતી. આ દેશોનાં યાત્રિકોને મળશે ગાઈડલાઈનમાંથી કેટલીક રાહત,
ચીન
સિંગાપુર
હોંગકોંગ
કોરિયા
થાઈલેન્ડ
જાપાન
છૂટ 13 ફેબ્રુઆરી, સોમવારથી લાગૂ
તેમાં લખેલું હતું કે ભારતે થાઈલેન્ડ, સિંગાપુર, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા અને ચીનથી આવનારાં યાત્રિકોનાં ઘટી રહેલાં કોરોનાનાં કેસોને ધ્યાનમાં રાખતાં સરકારે યાત્રિકો માટેની એયર સુવિધા ફોર્મ ભરવાની અને કોવિડ રિપોર્ટ અપલોડ કરવાની અનિવાર્યતાને દૂર કરવામાં આવી છે. આ છૂટ 13 ફેબ્રુઆરી, સોમવારથી લાગૂ પડશે.
એયર સુવિધા ફોર્મ હતું આવશ્યક
આ તમામ દેશોમાં વધી રહેલા કોરોનાનાં કેસોને ધ્યાનમાં લેતા ભારત સરકારે એયર ફોર્મ સુવિધાને આવશ્યક કર્યું હતું. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠી અનુસાર છેલ્લાં 4 અઠવાડિયાથી આ દેશોમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. તેથી મંત્રાલય આંતરરાષ્ટ્રીય યાત્રિકો માટે જાહેર કરેલાં પોતાનાં દિશાનિર્દેશોને અપડેટ કરી રહ્યું છે.