સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દાને લઈને ફરી ભારતે એક વાર ફરી પાકિસ્તાને આડે હાથ લીધું છે.
પાકિસ્તાન આતંકવાદ ફેલાવનાર સૌથી મોટો ગુનેગાર અને સમર્થક- ભારત
જમ્મુ કાશ્મીર ભારતનો ભાગ છે અને રહેશે- ડો. કાજલ ભટ્ટ
આતંકવાદ વિશ્વ સ્તર પર જારી છે- ડો. કાજલ
પાકિસ્તાન આતંકવાદ ફેલાવનાર સૌથી મોટો ગુનેગાર અને સમર્થક- ભારત
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રની છઠ્ઠી સમિતિમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદ ફેલાવનાર સૌથી મોટો ગુનેગાર અને સમર્થક છે. જે એનો શિકાર હોવાનો ઢોંગ કરી રહ્યું છે. સેશન દરમિયાન કાઉન્સિલર કાયદા સલાહકાર ડો. કાજોલ ભટ્ટે કહ્યું કે પાકિસ્તાનના એક વાર ફરી આ સન્માનજક સ્ટેજનો દુરુઉપયોગ કરી ઝૂઠ્ઠાણું ફેલાવવા કરી રહ્યો છે. ડો. કાજલ ભટ્ટે આ પ્રસંગ પર કહ્યુ કે તમામ સભ્ય દેશોને આંતરારાષ્ટ્રીય આંતકવાદ વિરોધી ઉપકરણો અને સંમેલનોમાં નિહિત પોતાની જવાબદારી પુરી કરવી જોઈએ. ભારતની આ આકરી પ્રતિક્રિયા પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્રના દૂત મુનીર અકરમ દ્વારા છઠ્ઠી સમિતિની બેઠકમાં ફરી કશ્મીરનો મુદ્દો ઉઠાવવા અને પોતાની ટિપ્પણીમાં ભારતની વિરુદ્ધ નિરાધાર આરોપ લગાવ્યા બાદ આવી છે.
જમ્મુ કાશ્મીર ભારતનો ભાગ છે અને રહેશે- ડો. કાજલ ભટ્ટ
ડો. કાજલ ભટ્ટે પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્રના દૂત મુનીર અકરમ દ્વારા છઠ્ઠી સમિતિની બેઠકમાં ફરીથી કાશ્મીરના મુદ્દાને ઉઠાવવા પર જવાબ આપતા કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનો ભાગ છે અને રહેશે. જો તમે આતંકવાદના માધ્યમથી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશો તો અમારી સેના તમને જવાબ આપવા માટે સક્ષમ છે. ભટ્ટે કહ્યું કે અમે પાકિસ્તાનથી તેમના દેશમાં હિંદુઓ, ઈસાઈઓ, શીખો, બોદ્ધો સહિત અન્ય અલ્પસંખ્યકોની વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારને ખતમ કરવાનું આહ્વાન કરે છે.
આતંકવાદ વિશ્વ સ્તર પર જારી છે- ડો. કાજલ
ભટ્ટનું કહેવું છે કે આતંકવાદ વિશ્વ સ્તર પર જારી છે. નવા ક્ષેત્રોમાં ફેલાઈ રહ્યો છે. આતંકવાદીઓએ પોતાના ઉદ્દેશ્યોને આગળ વધારવા અને પોતાના ખરાબ કૃત્યોને પુરા કરવા માટે ડ્રોન, આભાસી મુદ્રાઓ અને એન્ક્રિપ્ટેડ સંચાર જેવી નવી અને ઉભરતી પ્રોદ્યોગિકિઓ સુધી પહોંચ પ્રાપ્ત કરવા પોતાની ક્ષમતામાં ઘણી વૃદ્ધિ કરી છે.
આતંકવાદને કંટ્રોલ કરવા માટે સીસીઆઈટીનું સંચાલન - ડો. કાજલ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની છઠ્ઠી સમિતિની બેઠકમાં તેમણે કહ્યું કે ભારતે આતંકવાદનો સામનો કરવા માટે એક વ્યાપક કાયદાની ઢાંચો પ્રદાન કરવા માટે સીસીઆઈટીએ વિવરણનું સંચાલન કર્યુ છે. અમારો દ્રઢ વિશ્વાસ છે કે સંયુક્ત રાષ્ટ્રએ આ દિશામાં વધારે કરવાની જરુર છે.