ભારત પ્રત્યે અમેરિકાનું વલણ બદલાઈ રહ્યું છે. અમેરિકાનાં વિદેશ વિભાગ દ્વારા આપવામાં આવેલ એક રિપોર્ટ બાદ અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રા આયોગના સદસ્યો ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે ખૂબ ચિંતિત છે અને ભારત આવીને નિરીક્ષણ કરવા માંગે છે ત્યારે ભારતે આ સદસ્યોને વિઝા આપવાની જ ના પાડી દીધી છે. એસ જયશંકરે કડક શબ્દોમાં કહ્યું કે ભારત પોતાની સંપ્રભુતાથી જોડાયેલા મુદ્દાઓ પર કોઈ પણ પ્રકારનું વિદેશી હસ્તક્ષેપ સાંખી નહીં લે.
ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે ચિંતિત છે અમેરિકા
ભારતે આયોગના સદસ્યોને વિઝા આપવાની ના પાડી
એસ જયશંકરે અમેરિકાને આપ્યો સણસણતો જવાબ
વિદેશી એજન્સીઓને બંધારણીય અધિકારોનું મૂલ્યાંકન કરવાનો કોઈ અધિકાર છે જ નહીં
ભારતે અમેરિકાની આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના (USCIRF) સદસ્યોને વિઝા આપવાની નાં પાડી દીધી છે. આ સદસ્યો ભારત આવીને ભારતમાં ધાર્મિક આઝાદીનું નિરીક્ષણ કરવા માંગતા હતા. ભારતે કહ્યું કે વિદેશી એજન્સીઓને ભારતનાં નાગરિકોના બંધારણીય અધિકારોનું મૂલ્યાંકન કરવાનો કોઈ અધિકાર છે જ નહીં. નોંધનીય છે કે USCIRF એક એવી સંસ્થા છે જે દુનિયાભરમાં ધાર્મિક સ્વતંત્રતા પર નજર રાખે છે.
ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી
નોંધનીય છે કે અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા એક રિપોર્ટ આપવામાં આવી હતી જેમાં દક્ષીણ એશિયાના દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી અને કહેવામાં આવ્યું હતું કે અમરિકા સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
કોઈ પણ પ્રકારનું વિદેશી હસ્તક્ષેપ સાંખી લેવામાં આવશે નહીં
વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે ભારત સરાકરે અમેરિકન આયોગના આ સર્વેને વખોડી કાઢ્યો છે ને આયોગને ભારતના નાગરિકોના અધિકારો પર કોઈ જાણકારી નથી. આ આયોગના સદસ્યોએ વિઝા ના આપવા પર જયશંકરે કહ્યું કે આ નિર્ણય લેવામાં આવ્યો કારણ કે બંધારણ અનુસાર ભારતના નાગરિકોના અધિકારોને લઈને વિદેશની કોઈ સંસ્થાને હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. ભારત પોતાની સંપ્રભુતાથી જોડાયેલા મુદ્દાઓ પર કોઈ પણ પ્રકારનું વિદેશી હસ્તક્ષેપ સાંખી નહીં લે.
જોકે અમેરિકાના આયોગના પ્રવકતાએ કહ્યું કે તેમની ટીમ તો સરકાર સાથે સકારાત્મક વાતચીત કરવા માંગતી હતી. એક લોકતાંત્રિક અને અમેરિકાના સહયોગી દેશ હોવાના કારણે ભારતે અમને અનુમતિ આપવી જોઈએ.