વિદેશમાં ઓમિક્રોન વેરિયન્ટે હાહાકાર મચાવતા મોદી સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ ન કરવાનો વેળાસરનો નિર્ણય લીધો છે. મોદી સરકારે 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે આ વિચાર માંડી વાળ્યો છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના DGCAએ એક પ્રેસ નોટ બહાર પાડીને જણાવ્યું કે વિદેશમાં ઓમિક્રોન વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે જે ચિંતાનો વિખય છે. તમામ દેશો સાથે મળીને ભારતની પરિસ્થિતિ પર ચાંપતી નજર છે અને ભારતમાં પણ તે અનુસાર પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ફ્લાઈટ શરુ કરવાની તારીખ હવે પછી નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકારે 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે વિદેશમાં ઓમિક્રોન વેરિયન્ટના વધી રહેલા કેસોને પગલે મોદી સરકારે આ નિર્ણય લીધો છે.
Directorate General of Civil Aviation says it will notify its decision in due course on date of resumption of scheduled commercial international passengers airline services to/from India. It also says that situation being watched closely in view of emergence of new COVID variant. pic.twitter.com/5poCWXL8jP
અગાઉ કેજરીવાલે ટ્વિટ કરીને કેન્દ્ર સરકારને હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ ન કરવા માટે વિનંતી કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, વિશ્વના ઘણાં દેશોએ ઓમિક્રોનથી પ્રભાવિત દેશોખી આવવા વાળી ફ્લાઈટો બંધ કરી દીધી છે. તો આપણે આ મામલે કેમ વિલંબ કરી રહ્યાં છે. પહેલી લહેરમાં આપણે વિદેશી ફ્લાઈટ ઉડાન રોકવામાં ઘણું મોડું કરી દીધું હતું. દેશની મોટા ભાગો વિદેશી ફ્લાઈટો દિલ્હીમાં આવે છે. જેને લઈને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત રહે છે. પીએમ મોદી સાહેબ કૃપા કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ તાત્કાલિત બંધ કરે.