દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 30 લાખને પાર પહોંચી છે. રોજ કોરોનાના નવા કેસ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધારી રહ્યા છે. ગયા અઠવાડિયે કોરોના ગ્રાફ પર નજર કરીએ તો રોજ કોરોનાના નવા કેસ 70 હજારની પાર થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 69239 નવા કેસ આવ્યા છે અને 912 લોકોના મોત થયા છે. હવે કુલ સંક્રમિતનો આંક 30 લાખ 44 હજાર 940 પહોંચ્યો છે.
દેશમાં વધ્યું કોરોના સંક્રમણ
કુલ 69239 નવા કેસ આવ્યા, 912 મોત થયા
કુલ કેસની સંખ્યા 30 લાખ 44 હજાર 940 થઈ
સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં કોરોનાના 7 લાખ 7 હજાર 668 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે 56706 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાહતની વાત એ છે કે અત્યારસુધીમાં 22 લાખ 80 હજાર 566 લોકો રિકવર થયા છે. મંત્રાલયના આધારે દેશમાં સંક્રમણના કુલ કેસમાં 23.43 ટકા લોકો સારવાર લઈ રહ્યા છે. સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા વધવા અને હોસ્પિટલમાંથી રજા આપનારા કેસની સંખ્યા સ્વસ્થ થયેલા દર સાથે 74.69 પહોંચી છે. મૃત્યુદર પણ ઘટ્યો છે અને 1.87 ટકાએ પહોંચ્યો છે.
भारत में पिछले 24 घंटों में #COVID19 के 69,239 नए मामले सामने आए हैं और 912 मौतें हुई हैं। देश में पॉजिटिव मामलों की कुल संख्या बढ़कर 30,44,941 हो गई है जिसमें 7,07,668 सक्रिय मामले, 22,80,567 ठीक / डिस्चार्ज / माइग्रेट और 56,706 मौतें शामिल हैं: स्वास्थ्य मंत्रालय pic.twitter.com/V19TLx4sZw
મહારાષ્ટ્રમાં કોરોનાએ તોડ્યો રકોર્ડ, 14492 કેસ આવ્યા
મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસના સંક્રમણના 14492 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં સર્વાધિક કેસ આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 6,71,942 પહોંચી છે, કોરોના મહામારીથી 297 લોકોના મોત થયા છે જેનાથી મૃત્યુઆંક 21995 થયો છે.
22 अगस्त तक टेस्ट किए गए सैंपल की कुल संख्या 3,52,92,220 है, जिसमें 8,01,147 सैंपल का टेस्ट कल किया गया: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19pic.twitter.com/vX9566eTGK
દિલ્હીમાં શનિવારે કોરોના વાયરસના 1412 નવા કેસ આવ્યા છે. જે ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે છે. નવા કેસ સાથે કુલ સંખ્યા 1.60 લાખથી વધુ છે. મૃતકોની સંખ્યા વધીને 4284 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 14 દર્દીના મોત થયા છે. દિલ્હી સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર 24 કલાકમાં 13345 રેપિડ એન્ટીજન પરીક્ષણ કરાયું છે અને 6090 આરટીપીસીઆર અને અન્ય પરીક્ષણ થયા છે.
કર્ણાટકમાં કોરોનાના 2.70 લાખ કેસ
કર્ણાટકમાં શનિવારે 7330 નવા કેસ આવ્યા છે અને 93 મોત થયા છે. રાજ્યમાં 2.70 થી વધુ કેસ છે અને મૃતકની સંખ્યા 4615 થઈ છે. બેંગ્લોર શહેરી જિલ્લામાં સંક્રમણ 2979 નવા કેસ છે અને 28 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ 2,72,876 કેસ છે અને 1,84,568 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાતમાં કોરોનાથી 1212 નવા કેસ, 14 મોત
ગુજરાતમાં કોરોના સંક્રમણથી એક જ દિવસમાં 1212 નવા કેસ આવ્યા છે અને સાથે રાજ્યમાં કુલ આંક 85678 થયો છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે 14 દર્દીના મોત થયા છે.મૃતકોની સંખ્યા 2833 થઈ છે. વિભાગે કહ્યું કે એક દિવસમાં 980 દર્દી સાજા થયા છે અને સ્વસ્થ થનારા દર્દીની સંખ્યા 68257 પહોંચી છે. અહીં સાજા થનારા દર્દીની સંખ્યા 80 ટકા થઈ છે.