ભારતે ભારતીય સમુદાય વિરુદ્ધ હિંસાની નિંદા કરી છે, હિન્દુ ધાર્મિક સંકુલની તોડફોડ પર કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
Lancaster સીટીમાં થયેલ હિંદુ હિંસા વિશે ભારતે નિંદા કરી
બ્રિટિશ અધિકારીઓને હિંસા કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરશે
પાકિસ્તાનની ગેંગ હિન્દુ ઇમારતોને નિશાન બનાવતી જોવા મળી હતી
ભારતે ભારતીય સમુદાય વિરુદ્ધ હિંસાની નિંદા કરી છે, હિન્દુ ધાર્મિક સંકુલની તોડફોડ પર કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. ભારતીય હાઈકમિશને સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેણે આ વિશે બ્રિટિશ અધિકારીઓ સાથે વાત કરી છે. "અમે ભારતીય સમુદાય સામેની હિંસા અને લાન્સેસ્ટર(Lancaster)માં હિન્દુ ધાર્મિક પ્રતીકોને નિશાન બનાવવાની કડક નિંદા કરીએ છીએ. અમે આ મામલો બ્રિટિશ અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે અને તેમાં સામેલ લોકોને તાત્કાલિક સજા કરવાની માંગ કરી છે. અમે અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે અસરગ્રસ્ત લોકોને સુરક્ષા પૂરી પાડવામાં આવે."
હિંસાની શરૂઆત 28 ઓગસ્ટથી થઇ હતી
હિંસાની શરૂઆત 28 ઓગસ્ટના રોજ થઈ હતી જ્યારે ભારતે પાકિસ્તાન સામે ટી -20 એશિયા કપ જીત્યો હતો. લાન્સેસ્ટર પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ઇસ્ટ લેન્સિસ્ટરમાં હિંસા બાદ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા પછી આ ધરપકડ કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાનની ગેંગ બ્રિટનના લાન્સેસ્ટર સિટીમાં હિન્દુ ઇમારતોને નિશાન બનાવતી જોવા મળી હતી.
Radicals Attack Hindu Temple & youth, Publicly Tear & Burn Sacred Religious Flag😡in Leicester England. Attack Police too.Hatred being spread against Indians.Cancer of Radicalism spreading globally.Radicals turning England into Pakistan #HindusUnderAttack#HindusUnderAttackInUKpic.twitter.com/1e5oQeohNS
મંદિર પરનો ભગવો ધ્વજ ઉતારી પાડે છે
આ દરમિયાન એક યુવક બાજુમાં શિવ મંદિરની બહારની દીવાલ પર ચઢે છે અને ત્યાં લગાવેલ ભગવો ધ્વજ ઉતારી લે છે. જે પછી આ વ્યક્તિ ધ્વજને નીચેની તરફ નમાવે છે. વીડિયોમાં ધાર્મિક સ્થળની બહાર કરવામાં આવી રહેલું આ કૃત્ય સ્પષ્ટ કહી રહ્યું છે કે કેટલી નફરતથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
27 લોકોની ધરપકડ થઇ ચુકી છે
ભારત-પાકિસ્તાનની મેચ બાદ મેલ્ટન રોડ પર ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ અત્યાર સુધીમાં કુલ 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.