દેશમાં હવે ધીરે-ધીરે કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે પરંતુ આજે મોતની સંખ્યામાં વધારો થયો છે. જે ગઇ કાલે 13 હતો તો આજે 58 થયો છે.
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 795 કેસ
દેશમાં ફરી મોતની સંખ્યામાં આવ્યો મોટો ઉછાળો
ગઇ કાલે હતાં 13નાં મોત તો આજે નિપજ્યાં 58નાં મોત
દેશમાં છેલ્લાં 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા કેસોમાં 13 ટકાનો ઘટાડો થયો છે અને હાલમાં કોરોનાના નવા 795 કેસ નોંધાયા છે. ત્યારે આ નવા કેસ સાથે દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 43, 029,839 થઈ ગઈ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 12,054 થઇ છે. છેલ્લાં 24 કલાકમાં આ 1,280 લોકોએ કોરોનાએ હરાવ્યો છે. તો અત્યાર સુધીમાં કુલ 42,496,369 લોકો કોરોનાથી સાજા થયા છે.
છેલ્લાં 24 કલાકમાં 58નાં મોત
છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કારણે 58 લોકોના મોત થયા છે. જ્યારે ગઈ કાલે આ સંખ્યા 13 હતી. દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 521,416 લોકોના મોત નિપજ્યાં છે. કોરોનાને હરાવવા માટે દેશમાં લોકોને ઝડપથી વેક્સિન આપવામાં આવી રહી છે. છેલ્લાં 24 કલાકમાં 16,17,668 લોકોને રસી આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,84,87,33,081 રસી આપવામાં આવી છે.
India reports 795 fresh #COVID19 cases, 1,208 recoveries, and 58 deaths in the last 24 hours.
Active cases: 12,054 (0.03%)
Death toll: 5,21,416
Daily positivity rate: 0.17%
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સોમવારે સતત પાંચમા દિવસે કોવિડ મુક્ત રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં અહીં કોરોના સંક્રમણનો એક પણ કેસ નથી નોંધાયો અને સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ શૂન્ય પર યથાવત રહી છે. સ્વાસ્થ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગેની માહિતી આપી છે. ડાયરેક્ટર (આરોગ્ય) જી. શ્રીરામુલુએ જણાવ્યું કે, સોમવારે સવારે 10 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાકના સમયગાળામાં કોવિડ -19 માટે 12 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી એકમાં પણ સંક્રમણની પુષ્ટિ નથી થઈ.
શ્રીરામુલુના જણાવ્યાં અનુસાર, છેલ્લાં 24 કલાકમાં પુડુચેરીમાં કોરોનાના કારણે એક પણનું મોત નથી નિપજ્યું. જેના કારણે આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મૃત્યુઆંક 1,962 પર સ્થિર રહ્યો છે. તેઓએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં કુલ 22,29,514 સેમ્પલનું પરીક્ષણ કર્યું છે જેમાંથી 18,74,451 કેસ નેગેટિવ આવ્યાં છે.
તેમણે કહ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 16,46,267 ડોઝ આપવામાં આવ્યાં છે અને 9,54,694 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે 6,77,085 લાભાર્થીઓને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.