વિશ્વભરમાં અત્યાર સુધીમાં 24.48 કરોડ લોકો કોરોનાની મહામારી ઝપેટમાં આવી ચુક્યા છે. અમેરિકા, રશિયા, બ્રિટન, તુર્કી, યુક્રેન પછી ભારતમાં જ સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 12,428 નવા કોરોના કેસ સામે આવ્યા છે.
દેશમાં 3.42 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા
કોરોનાના કેસની બાબતમાં ભારત હવે વિશ્વમાં 12મા સ્થાને છે
છેલ્લા 24 કલાકમાં 12,428 નવા કોરોના કેસ સામે આવ્યા છે.
દેશભરમાં કોરોનાનો પ્રકોપ હવે નોંધપાત્ર રીતે ઓછો થયો છે. આઠ મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે તાજેતરનો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 12,428 નવા કોરોના કેસ સામે આવ્યા છે. અને 356 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 15,951 લોકો કોરોનાથી સાજા પણ થયા છે એટલે કે 3879 સક્રિય કેસ ઓછા થયા છે.
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 42 લાખ 2 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 55 હજાર 68 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે, અત્યાર સુધીમાં 3 કરોડ 35 લાખ 83 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા બે લાખથી ઓછી છે. કુલ 1 લાખ 63 હજાર 816 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
કોરોનાનું અપડેટ
દેશમાં કોરોનાના કુલ કેસ-ત્રણ કરોડ 42 લાખ 2 હજાર 202
કુલ ડિસ્ચાર્જ-ત્રણ કરોડ 35 લાખ 83 હજાર 318
કુલ સક્રિય કેસ-એક લાખ 63 હજાર 816
કુલ મૃત્યુ-ચાર લાખ 55 હજાર 68
કુલ રસીકરણ-102 કરોડ 94 લાખ 1 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા
કેરળમાં સૌથી વધુ 6,664 નવા કોરોના કેસ નોંધાયા છે
સોમવારે કેરળમાં કોવિડ -19 ના 6,664 નવા કેસના આગમન સાથે, રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 49 લાખ 12 હજાર 789 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન, 9,010 દર્દીઓ ચેપ મુક્ત થયા છે, જેના કારણે રાજ્યમાં આ જીવલેણ વાયરસના ચેપને માત આપનારા લોકોની સંખ્યા વધીને 48,17,785 થઈ ગઈ છે.
વેક્સિનના 102 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતાં
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું હતું કે, 25 ઓક્ટોબર સુધી દેશભરમાં કોરોના રસીના 102 કરોડ 94 લાખ 1 હજાર ડોઝ આપવામાં આવ્યાં છે. છેલ્લા દિવસે 64.75 લાખ રસી આપવામાં આવી હતી. બીજી બાજુ ભારતીય તબીબી સંશોધન પરિષદના જણાવ્યાં અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 60 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેનો પોઝીટીવીટી રેટ 2 ટકાથી ઓછો છે
કોરોના એક્ટિવ કેસની બાબતમાં ભારત હવે વિશ્વમાં 12મા સ્થાને છે
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 98.18 ટકા છે. સક્રિય કેસ 0.49% છે. કોરોના એક્ટિવ કેસની બાબતમાં ભારત હવે વિશ્વમાં 12મા સ્થાને છે. સંક્રમિતોની કુલ સંખ્યાના સંદર્ભમાં ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ મૃત્યુ બ્રાઝિલમાં થયા છે.