દેશમાં કોરોનાના કેસોમાં ફરી એક વખત વધારો થયો છે. ફરી એક વખત 30 હજારથી વધુ કેસો નોંધાયા છે. જોકે, ગઈ વખતે કેસો ઓછા નોંધાયા હતા.
દેશમાં કોરોનાના કેસોમાં ફરી એક વખત થયો વધારો
એક દિવસમાં ફરી એક વખત 30 હજારથી વધુ કેસો નોંધાયા
કોરોનાથી 38,945 લોકો સ્વસ્થ થયા, 8481 એક્ટિવ કેસ ઘટ્યા
રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી નવા આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. મંત્રાલય મુજબ, છેલ્લાં 24 કલાકમાં 30,773 કોરોનાના નવા કેસો આવ્યાં છે અને 309 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. કોરોનાથી 38,945 લોકો સ્વસ્થ થયા છે એટલેકે 8481 એક્ટિવ કેસ ઘટ્યા છે.
કોરોના મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 33 લાખ 81 હજાર લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 4 લાખ 44 હજાર 248 લોકોના મોત થયા છે. રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી ત્રણ કરોડ 34 લાખ 48 હજાર લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 4 લાખથી ઓછી છે. કુલ ત્રણ લાખ 32 હજાર 158 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે.
કોરોનાના કુલ કેસ- 3,34,48,163
કુલ ડિસ્ચાર્જ- 3,26,71,167
કુલ એક્ટિવ કેસ- 3,32,158
કુલ મોત- 4,44,838
કુલ રસીકરણ- 80,43,72 હજાર રસી આપવામાં આવી