ભારતમાં કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 20 હજારથી પણ ઓછા કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ 19ના 19968 નવા કેસો મળી આવ્યા છે.
કોરોનાના મોર્ચે રાહતના સમાચાર
કોરોનાના કેસો ઘટ્યા
સંક્રમણ દર 1.68 ટકા થયો
ભારતમાં કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 20 હજારથી પણ ઓછા કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ 19ના 19968 નવા કેસો મળી આવ્યા છે. કાલે સવારે આંકડાના સરખામણીએ નવા આંકડામાં 10 ટકાનો ઘટાડો થયો છે. આ તમામની વચ્ચે 673 દર્દીઓના મોત પણ કોરોનાના કારણે થયા છે. ત્યારે આવા સમયે કોરોનાથી દેશમાં મરનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 11 હજાર 903 થઈ ગઈ છે.
India reports 19,968 fresh #COVID19 cases, 48,847 recoveries, and 673 deaths in the last 24 hours.
Active case: 2,24,187 (0.52%)
Daily positivity rate: 1.68%
Total recoveries: 4,20,86,383
Death toll: 5,11,903
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે સવારે જાહેર કરવામાં આવેલી અપડેટ મુજબ જોઈએ તો, દેશમાં 48,847 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સાજા થયા છે. ત્યારે આવા સમયે અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 20 લાખ 86 હજાર 383 દર્દીઓના કોરોનાથી મોત થઈ ચુક્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો, દેશમાં ઘટીને 2 લાખ 24 હજાર 187 રહી ગયા છે.
175 કરોડથી વધારે ડોઝ લાગ્યા
દેશમાં દૈનિક કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે ઘટીને સંક્રમણ દર 1.68 ટકા રહી ગયો છે. આની વચ્ચે દેશભરમાં કોરોના વેક્સિનના 175 કરોડથી પણ વધારે ડોઝ લગાવામાં આવી ચુક્યા છે. દેશમાં શનિવારે વેક્સિનની 30 લાખ 81 હજાર 336 ડોઝ લગાવાઈ ચુકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને અત્યાર સુધીમાં 1.82 કરોડથી વધારે બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. તો વળી શનિવારે 11 લાખ 87 હજાર 766 કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.