ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો આવ્યો આવી રહ્યો છે.
24 કલાકમાં 29616 નવા કોરોના કેસ આવ્યા
290 કોરોના સંક્રમિતોના જીવ ગયા
24 કલાકમાં 28046 લોકો કોરોનાથી સાજા થયા
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શુક્રવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર 24 કલાકમાં 29616 નવા કોરોના કેસ આવ્યા અને 290 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. 24 કલાકમાં 28046 લોકો કોરોનાથી સાજા પણ થઈ ગયા છે એટલે કે 4496 એક્ટિવ કેસ ઓછા થઈ ગયા છે.
ભારતમાં કોરોનાના ગત 7 દિવસના આંકડા
18 સપ્ટેમ્બર : 30,773
19 સપ્ટેમ્બર : 30,256
20 સપ્ટેમ્બર : 26,115
21 સપ્ટેમ્બર : 26,964
22 સપ્ટેમ્બર : 31,923
23 સપ્ટેમ્બર : 31,382
24 સપ્ટેમ્બર : 29,616
દેશભરમાં કોરોના સંક્રમણની સ્થિતિ
અત્યાર સુધીમાં દેશમાં 3 કરોડ 36 લાખ 24 હજાર લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 4 લાખ 46 હજાર 658 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 28 લાખ 76 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા લગભગ 3 લાખ છે. કુલ 3 લાખ 1 હજાર લોકો હજું પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમની સારવાર ચાલી રહી છે.
કોરોનાના કુલ કેલ - 3 કરોડ 36 લાખ 24 હજાર 419
કુલ સાજા થનારા - 3 કરોડ 28 લાખ 48 હજાર 273
કુલ એક્ટિવ કેસ- 3 લાખ 162
કુલ મોચ- 4 લાખ 46 હજાર 368
કુલ રસીકરણ- 84 કરોડ 15 લાખ 18 હજાર ડોઝ
84 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 23 સપ્ટેમ્બર સુધી દેશમાં 84 કરોડ 89 લાખ , 29 હજાર 160 કોરોનાની રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. ગત દિવસે 71.04 લાખ રસી લગાવવામાં આવ્યા છે. ત્યારે આઈસીએમઆર અનુસાર, અત્યાર લગભગ 56.16 કરોડ કોરોના ટેસ્ટ કરાઈ ચૂક્યા છે. ગત દિવસોમાં 15.92 લાખ કોરોના સેંપલ ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાં પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. દેશમાં કોરોનાનો મૃત્યુદર 1.33 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97.78 ટકા છે. એક્ટિવ કેસ 0.89 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત હવે 8માં સ્થાન પર છે.