કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે છે. આજે સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસો 50 હજારથી ઓછા સામે આવ્યાં છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 27,409 નવા કોરોનાના કેસો સામે આવ્યાં છે અને 347 સંક્રમિતોના જીવ ગયા છે. જ્યારે તેના એક દિવસ પહેલા કોરોનાના 34113 નવા કેસો સામે આવ્યાં હતા.
કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે
સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસો 50 હજારથી પણ ઓછા
છેલ્લાં 24 કલાકમાં 27,409 નવા કોરોનાના કેસો સામે આવ્યાં
દિલ્હીમાં કોરોનાના 586 નવા કેસો સામે આવ્યાં
તો 346 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સારી વાત એ છે કે છેલ્લાં 24 કલાકમાં 82 હજાર લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે, એટલેકે 55 હજાર એક્ટિવ કેસ ઓછા થયા છે. દિલ્હીમાં સોમવારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 586 નવા કેસો સામે આવ્યાં. જ્યારે 4 લોકોના મોત થયા છે. કોરોના પોઝિટિવિટી રેટ 1.37 ટકા છે અને સક્રિય કેસોની સંખ્યા ઘટીને 3416 થઇ છે. કોરોનાનો રિકવરી રેટ 98.40 છે. કોરોના પોઝિટિવિટી રેટ 0.18 ટકા છે જ્યારે ડેથ રેટ 1.41 ટકા છે.
કોરોના મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી કુલ 4 કરોડ 26 લાખ 92 હજાર લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 5 લાખ 9 હજાર 358 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 4 કરોડ 17 લાખ 60 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 5 લાખથી ઓછી છે. કુલ 4 લાખ 23 હજાર 127 લોકો હજી પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે.
દેશમાં 173 કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું, 14 ફેબ્રુઆરી 2022 સુધી દેશમાં 173 કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં છે. આની પહેલા 44.68 લાખ રસી લગાવવામાં આવી છે. તો ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) મુજબ, અત્યાર સુધી 75.30 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. ગઈકાલે લગભગ 12.29 લાખ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.