ભારતમાંથી કોરોના વાયરસ 20 મે સુધીમાં સમાપ્ત થવાની સંભાવના છે. આ દાવો સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇન (SUTD) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કર્યા પછી કરવામાં આવ્યો છે. SUTDએ એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસ ટૂંક સમયમાં ભારત અને વિવિધ દેશોમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે.
જલ્દી ખતમ થશે કોરોનાનો કહેર
SUTDનો દાવો છે કે મે મહિનામાં ભારતમાંથી ખતમ થશે કોરોના
દેશમાં કોરોનાની કુલ સંખ્યા 26283ને પાર
એસયુટીડીએ સંવેદનશીલ ચેપના રોગચાળાના મોડેલનું વિશ્લેષણ કર્યા પછી આ આગાહી કરી છે, એટલે કે વિવિધ દેશોના શંકાસ્પદ, ચેપગ્રસ્ત અને ફરીથી સક્રિય થતા દર્દીઓના મોડેલોને લઈને તારણ કાઢ્યું છે. વિવિધ દેશોમાં જ્યારે આ રોગચાળો થયો છે તે તારીખનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
16 મે સુધી લૉકડાઉન રહે તે સારું
આ પહેલા શુક્રવારે કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે જો 16 મે પછી લૉકડાઉન ખોલવામાં આવે તો કોરોના વાયરસનો નવો કેસ આવશે નહીં. આ સાથે ભારત કોરોના વાયરસને નિયંત્રણમાં કરી શકશે.
લૉકડાઉનમાંથી બહાર આવવાની કવાયત શરૂ
સરકારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલા લૉકડાઉનમાંથી બહાર આવવાની કવાયત પણ શરૂ કરી દીધી છે. આ હેઠળ કેન્દ્ર સરકારે ગામની ગલી અને શહેરોમાં નજીકની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. જો કે કન્ટેન્ટ ઝોન અને હૉટસ્પોટ વિસ્તારમાં દુકાનો ખોલવાની મંજૂરી નથી. આ ઉપરાંત દારૂની દુકાન અને મૉલ પણ ખોલવા દેવામાં આવશે નહીં.
દેશમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1835 કેસ નોંધાયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા 26283એ પહોંચી છે. હાલ સુધીમાં 5939 લોકો સાજા થયા છે. દેશમાં કુલ મૃત્યુઆંક 825 થયો છે.