કોરોના વાયરસનો કહેર દેશભરમાં સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી એક ચિંતા સતાવી રહી છે કે કોરોનાના કારણે ભારતમાં રોજના કેસમાં વધારો થયો છે અને સાથે જ મોતનો આંક પણ ચોંકાવનારો છે. કોરોનાના કેસમાં ભારતે વિશ્વનો રેકોર્ડ તોડ્યો છે. અહીં એક જ દિવસમાં 95 હજાર 529 કેસ આવ્યા છે અને સાથે જ એક દિવસમાં 1168 લોકોના મોત પણ થયા છે.
ભારતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ
એક દિવસમાં 95 હજાર 529 કેસ
એક દિવસમાં 1168 લોકોના મોત
ભારતમાં કોરોનાના કુલ કેસ 44 લાખને પાર
दिल्ली में पिछले 24 घंटों में #COVID19 के 4039 नए मामले और 20 मौतें दर्ज की गई, जिससे कुल मामलों का आंकड़ा 2 लाख को पार हो गया है। राष्ट्रीय राजधानी में कुल मामले 2,01,174 हो गए हैं, जिसमें 4638 मौतें और 1,72,763 रिकवरी / डिस्चार्ज / माइग्रेटेड मामले शामिल हैं : दिल्ली सरकार pic.twitter.com/GyHbjxkl0g
દેશમાં કોરોનાની આવી છે સ્થિતિ, સૌથી વધુ પ્રભાવિત છે મહારાષ્ટ્ર
દેશમાં કોરોનાના કારણે કુલ 75 હજાર 91 લોકોના મૃત્યુ થયા છે. દેશના અલગ અલગ રાજ્યોમાં દૈનિક કેસ પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 23 હજાર 577 કેસ નોંધાયા છે તો આંધ્રપ્રદેશમાં 10 હજાર 418 નવા કેસ નોંધાયા છે. કર્ણાટકમાં એક જ દિવસમાં 9540 કેસ નોંધાયા અને ઉત્તરપ્રદેશમાં 6568, તમિલનાડુમાં 5584, દિલ્લીમાં 4039 કેસ નોંધાયા છે. ઓડિશામાં 3748, કેરળ 3402 કેસ, તેલંગાણામાં 2479 નવા કેસ, આસામમાં 2243, હરિયાણામાં 2294 નવા કેસ નોંધાયા છે. પંજાબમાં 2137 કેસ અને છત્તીસગઢમાં 2818 કેસ નોંધાયા.
महाराष्ट्र में आज 23,816 नए #COVID19 मामले, 13,906 डिस्चार्ज और 325 मौतें दर्ज की गई। राज्य में कुल मामलों की संख्या बढ़कर 9,67,349 हो गई, जिसमें 6,86,462 रिकवरी और 2,52,734 सक्रिय मामले शामिल हैं : सार्वजनिक स्वास्थ्य विभाग, महाराष्ट्र pic.twitter.com/kOq9Abljl4
कल(9 सितंबर) तक कोरोना वायरस के लिए कुल 5,29,34,433 सैंपल टेस्ट किए गए, जिनमें से 11,29,756 सैंपल कल टेस्ट किए गए: भारतीय चिकित्सा अनुसंधान परिषद(ICMR) #COVID19pic.twitter.com/slt6njCEDX
भारत में पिछले 24 घंटे में कोरोना वायरस से करीब 75,000 लोग ठीक हुए। कोरोना वायरस से ठीक हुए मामलों की कुल संख्या करीब 34 लाख है: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19
મૃત્યુઆંકમાં પણ મહારાષ્ટ્ર સૌથી પ્રભાવિત રાજ્ય રહ્યું છે. અહીં એક દિવરમાં 380 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં 128 લોકોના એક દિવસમાં મૃત્યુ થયા છે.
દુનિયામાં આવી છે કોરોનાની સ્થિતિ
વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જાન્યુઆરીમાં પહેલીવાર કોરોનાની જાણ થયા બાદ વિશ્વભરમાં સંક્રમણથી 9 લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોનાથી અત્યારસુધીમાં 1 લાખ 90 હજાર, બ્રાઝિલમાં 1.27 લાખ લોકોના મોત થયા છે. સંક્રમિત અને મોતનો આંક હવે સૌથી વધારે ભારતમાં વધી રહ્યો છે. અહીં કુલ 73 હજાર 890 લોકોના મોત થયા છે અને અત્યારે 43 લાખ 70 હજાર લોકો પોઝિટિવ છે. એટલે કે કુલ કેસના 43 ટકાથી વધુ મોત અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં થયા છે.