દેશમાં આજે કોરોનાના નવા કેસોમાં 10.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1270 કેસ નોંધાયા છે તો 31 લોકોનાં મોત થયા છે.
દેશમાં આજે કોરોનાનાં નવા 1270 કેસ નોંધાયા તો 31 લોકોનાં મોત
દેશમાં અત્યાર સુધીમાં 183 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં
દેશમાં 4 કરોડથી વધુ લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યાં
દેશમાં ગઈ કાલે કોરોનાના 1421 કેસ નોંધાયા હતા તો 149 લોકોનાં મોત નિપજ્યાં હતાં. ત્યારે અહીં જોઇશું કે દેશમાં હાલમાં શું છે કોરોનાની તાજેતરની સ્થિતિ?
એક્ટિવ કેસ ઘટીને 15 હજાર 859 થઇ ગયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં ગઈ કાલે 1 હજાર 567 લોકો સાજા થયા હતાં ત્યાર બાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 15 હજાર 859 થઈ ગઈ છે. આ સાથે આ મહામારીના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 21 હજાર 35 થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં દેશમાં 4 કરોડ 24 લાખ 83 હજાર 829 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યાં છે.
India registers 1,270 new COVID19 cases in the last 24 hours; Active cases stand at 15,859 pic.twitter.com/5vjevd1Gsj
દેશમાં અત્યાર સુધીમાં 183 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોના રસીના 13 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે. ગઈ કાલે 4 લાખ 20 હજાર 842 ડોઝ આપવામાં આવ્યા હતાં. ત્યાર બાદ અત્યાર સુધીમાં રસીના 183 કરોડ 26 લાખ 35 હજાર 673 ડોઝ આપવામાં આવ્યાં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, 2 કરોડથી વધુ નિવારક રસીઓ આરોગ્ય કર્મચારીઓ, કોરોના યોદ્ધાઓ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. તો કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન 2જી ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.