સમગ્ર દેશમાં અને વિશ્વમાં ધીરે-ધીરે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે. ત્યારે દેશમાં આજે પણ કોરોનાનાં કેસોમાં થોડોક ઘટાડો નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં નવા 5476 કેસ તો 158નાં મોત નિપજ્યાં છે.
દેશમાં ગઇ કાલ કરતા કોરોનાના કેસો મંદ પડ્યાં
આજ રોજ છેલ્લાં 24 કલાકમાં નવા 5476 કેસ નોંધાયા
મોતની સંખ્યામાં પણ થયો મોટો ઘટાડો
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 5476 કેસ તો 158નાં મોત નિપજ્યાં છે. જે ગઇ કાલની તુલનામાં આજનાં નવા કેસોમાં થોડોક ઘટાડો નોંધાયો છે. ગઇ કાલે દેશમાં કોરોનાના નવા 5921 કેસ નોંધાયા હતાં તો 289નાં મોત નિપજ્યાં હતાં. ત્યારે અહીં જોઇશું કે દેશમાં કોરોનાના કેસની આજની શું સ્થિતિ છે?
એક્ટિવ કેસ ઘટીને થયા 59 હજાર 442
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈ કાલે દેશમાં 13 હજાર 450 લોકો સાજા થયા હતાં. ત્યાર બાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 59 હજાર 442 થઈ ગઈ છે. આ સાથે આ મહામારીના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 15 હજાર 36 થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 23 લાખ 88 હજાર 475 લોકો સંક્રમણમુક્ત થઈ ચૂક્યાં છે.
COVID19 | India records 5,476 new cases, 158 deaths and 9,754 recoveries in the last 24 hours; Active cases stand at 59,442 pic.twitter.com/xXECapxU4A
દિલ્હીમાં નવા 274 કેસ નોંધાયા તો એક પણ દર્દીનું મોત નહીં
શનિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોવિડ -19 ના 274 નવા કેસ નોંધાયા હતાં તો દિલ્હીમાં સંક્રમણ દર 0.58 ટકા હતો. રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણથી કોઈ જ દર્દીનું મોત નથી થયું. દિલ્હીમાં મૃત્યુઆંક 26,134 પર યથાવત છે. દિલ્હીમાં કોવિડ-19 નાં નવા 274 કેસ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 18,61,463 થઈ ગઈ છે. મહત્વનું છે કે, એક દિવસ પહેલાં કોવિડ-19ના 47,652 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. દિલ્હીની હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓ માટે 10,747 બેડ છે, જેમાંથી 120 દર્દીઓ હાલમાં દાખલ છે.