ચીન અને તાઈવાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયે ડ્રેગનને સલાહ આપતા કહ્યું કે ભારત તાઈવાનની વર્તમાન પરિસ્થિતિમાં કોઈપણ એક તરફી બદલાવનો સખત વિરોધ કરી રહ્યું છે.
તાઈવાન મામલે ચીને ભારતનો ચોખ્ખો જવાબ
કહ્યું- વર્તમાન પરિસ્થિતિનો ભારત કરી રહ્યું છે વિરોધ
વિદેશ મંત્રાલયે ચીનને શાંતિ જાળવવાની કરી અપીલ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે સંયમ રાખવાની અને યથાસ્થિતિ બદલવા માટે એકપક્ષીય કાર્યવાહી ટાળવાની સલાહ આપીએ છીએ. તણાવ ઘટાડવા અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા (Peace and stability) જાળવવાની પણ અપીલ કરીએ છીએ. વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે અન્ય દેશોની જેમ ભારત પણ તાજેતરના ઘટનાક્રમથી ચિંતિત છે.
यह दुर्भाग्यपूर्ण है कि जब आतंकवाद के खिलाफ हमारी सामूहिक लड़ाई की बात आती है तो अंतर्राष्ट्रीय समुदाय एक साथ मिलकर आवाज़ उठाने में असमर्थ रहा है। 9 अगस्त को UNSC में भारत ने खुली बहस में ये मुद्दा उठाया है: विदेश मंत्रालय के प्रवक्ता अरिंदम बागची pic.twitter.com/FUCMGhl5qJ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતની નીતિઓ પહેલાથી જ સ્પષ્ટ છે અને તેને પુનરાવર્તન કરવાની જરૂર નથી. યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાનની મુલાકાત બાદથી ચીન ગિન્નાયું છે અને બેઇજિંગે તાઇવાન પર કબજો કરવાની ધમકી આપતા મોટા પાયે લશ્કરી કવાયત શરૂ કરી છે. તાઇવાનની નજીક લોન્ચ થયાના એક અઠવાડિયાથી વધુ સમય પછી, ચીને બુધવારે જાહેરાત કરી કે તેણે ટાપુ પરની તેની સૈન્ય કવાયતો સમાપ્ત કરી દીધી છે.
ચીનને ચોખ્ખા શબ્દોમાં ભારતની ચેતવણી
આ સિવાય ભારતે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં બ્લેકલિસ્ટ કરવામાં અવરોધ ઉભો કરવા બદલ ચીનની ટીકા કરી છે. પ્રસ્તાવ પર ચીનના પ્રતિબંધને ખેદજનક અને બિનજરૂરી ગણાવતા વિદેશ મંત્રાલયે કહ્યું કે તે આવા આતંકવાદીઓને ન્યાયના કઠેડામાં લાવવાનો પ્રયાસ ચાલુ રાખશે. અરિંદમ બાગચીએ કહ્યું, 'અમને અફસોસ છે કે અબ્દુલ રઉફ અઝહરને બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવ પર ટેકનિકલ સ્ટે આપવામાં આવ્યો છે.'
कई अन्य देशों की तरह भारत भी हाल के घटनाक्रमों से चिंतित है, हम संयम बरतने, स्टेटस को बदलने के लिए एकतरफा कार्रवाई से बचने, तनाव कम करने और क्षेत्र में शांति और स्थिरता बनाए रखने के प्रयासों का अनुरोध करते हैं: ताइवान में मौजूदा स्थिति पर विदेश मंत्रालय के प्रवक्ता अरिंदम बागची pic.twitter.com/XZ7PXuMA5Q
તેમણે વધુમાં કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે આતંકવાદ સામે સામૂહિક લડાઈની વાત આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય એક સૂરમાં વાત કરવામાં અસમર્થ છે. બાગચીએ કહ્યું કે તમે બધા જાણો છો કે અબ્દુલ રઉફ 1998માં ઈન્ડિયન એરલાઈન્સના એરક્રાફ્ટ આઈસી 814ના હાઈજેક, 2001માં સંસદ પર હુમલો, 2014માં કઠુઆમાં ઈન્ડિયન આર્મી કેમ્પ અને 2016માં પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલામાં સામેલ હતો. સહિત ભારતમાં ઘણા આતંકવાદી હુમલાના આયોજન અને અંજામ આપવામાં સામેલ રહ્યો છે.