પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાઉદી પ્રવાસ માટે પાકિસ્તાને પોતાનું એરસ્પેસ ખોલવા માટે ના પાડી દીધી છે. ત્યારબાદ ભારતે આંતરરાષ્ટ્રીય નાગરિક હવાઇ સંગઠનમાં અપીલ કરી છે. સરકારી સૂત્રો પ્રમાણે વીવીઆઇપીની ખાસ ફ્લાઇટ્સ માટે તમામ 'સામાન્ય દેશ' પોતાના એરસ્પેસથી પસાર થવાની અનુમતિ આપે છે. ઇસ્લામાબાદના આ વલણથી ભારત નિરાશ થયું છે.
પીએમ માટે હવાઇ ક્ષેત્ર ખોલવાનો પાકિસ્તાનના ઇનકારનો ભારતે આપ્યો જવાબ
સૂત્રો પ્રમાણે ઓવરફ્લાઇટ ક્લીયરેન્સ માંગવા પર બીજા દેશ આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા પ્રમાણે અુમતિ આપી દે છે અને ભારત પણ એવી અનુમતિ માગવાનું ચાલુ રાખશે. પાકિસ્તાનના એરસ્પેસ નહીં ખોલવાના નિર્ણય બાદ ભારતે આ મામલાને આંતરરાષ્ટ્રીય હવાઇ સંગગઠનમાં ઊઠાવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું, પાકિસ્તાને પોતાની આ એકતરફી કાર્યવાહી કરવા માટે બેકારના કારણ આપવાની જૂની આદતમાંથી બહાર આવવું જોઇએ અને આંતરરાષ્ટ્રીય પ્રક્રિયાથી પાછળ હટવાની વ્યાખ્યા આપવી જોઇએ।
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબમાં જવા માટે એરસ્પેસનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી, જેને ફગાવી દેવામાં આવી.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી મંગળવારે સાઉદી અરબના પ્રવાસ પર જશે જ્યાં તેઓ એક આંતરરાષ્ટ્રીય વેપાર સંમેલનમાં પણ સામેલ થશે.
આ પહેલા પણ, પાકિસ્તાને પીએમ મોદીને અમેરિકાનવી ફ્લાઇટ માટે પોતાની એરસ્પેસ ખોલવાની ના પાડી દીધી હતી.
આ રીતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ પાકિસ્તાને યૂરોપ જવા માટે પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવાની પરવાનગી આપી નહતી.
શું છે આંતરરાષ્ટ્રીય કાયદો
આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે કોઇ પણ દેશના ક્ષેત્રથી 12 નૉટિકલ મીલ અથવા 22.2 કિમીના અંતર સુધી એમનું એરસ્પેસ માનવામાં આવે છે અને એ દેશની પોતાની એરસ્પેસ પર પૂરું નિયંત્રણ હોય છે. જો કે યુદ્ધ અથવા અન્ય આપાતકાલીન સ્થિતિ ના હોવા પર દેશોને પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવા આપે છે.
ફેબ્રુઆરી મહિનામાં ભારતીય વાયુસેનાની સ્ટ્રાઇક બાદ પણ પાકિસ્તાને ભારતીય એરલાયન્સ માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધું હતું. કરોડોનું નુકસાન થયા બાદ પાકને પોતાનો નિર્ણય પાછો લેવો પડ્યો ત્યારબાદ પીએમ મોદી ફ્રાંસ પ્રવાસ પર જવા માટે પાકિસ્તાની એરસ્પેસથી પસાર થયા હતા.