ઈઝરાયલ અને હમાસ ગુરુવારે સંઘર્ષ વિરામ માટે સહમત થયા હતા
સંયુકત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધતિવ કરતાં રાજદૂત ટી એસ તિરુમૂર્તિએ આ વાતની જાણકારી આપી
UN મહાસભ્યના અધ્યક્ષ વૉલકને પશ્ચિમ એશિયની હાલત પર ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવી
રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયલ- ગાઝા યુદ્ધ વિરામની પુષ્ટિ કરી
સંયુકત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધતિવ કરતાં રાજદૂત ટી એસ તિરુમૂર્તિએ આ વાતની જાણકારી આપી
સંયુકત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધતિવ કરતાં રાજદૂત ટી એસ તિરુમૂર્તિએ આ વાતની જાણકારી આપતા કહ્યું કે ભારતે નક્કી કર્યું છે કે ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચર્ચાનો માહોલ નક્કી તૈયાર કરવામાં માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે. તેમણે ભાર મૂકતાં કહ્યું કે બંને દેશમાં શાંતિ કાયમ માટે સ્થપાય અને અર્થપૂર્ણ ચર્ચા ઘણી લાંબી શકે તેમ છે. પશ્ચિમ એશિયા અને પેલેસ્ટાઇનની સ્થિતિ પર ચર્ચા કરવા માટે UNમાં મહાસભા યોજવામાં આવી હતી. ટી એસ તિરુમૂર્તિએ વધુમાં વાત કરતાં કહ્યું કે હાલ જલ્દીથી બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થાય તે ખૂબ જ જરૂરી છે જેથી બંને દેશોમાં થઈ રહેલ હિંસા અટકી શકે. અમે ઈચ્છીએ છીએ કે તણાવ વધે તેવી દરેક સ્થિતિથી બચવું જોઈએ, અને જો કોઈ એક બાજુથી જ સ્થિતિ બદલવાની કોશિશથી પણ બચવું જોઈએ.
UN મહાસભ્યના અધ્યક્ષ વૉલકને પશ્ચિમ એશિયની હાલત પર ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવી
ટી એસ તિરુમૂર્તિનું આ નિવેદન ઈઝરાયલ અને હમાસ વચ્ચે 11 દિવસના સંઘર્ષના વિરામ વચ્ચે આપવામાં આવ્યું. આ સંઘર્ષથી ગાઝા પટ્ટીમાં મોટા પાયે નુકશાન થયું હોવાનું માનવામાં આવે છે. UN મહાસભ્યના અધ્યક્ષ વૉલકને પશ્ચિમ એશિયની હાલત પર ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવી હતી. ગયા વર્ષે શરૂ થયેલ મહામારી પછી પહેલી વાર ઘણા બધા દેશોના વિદેશમંત્રીઓએ સામે સામે બેસીને આ ચર્ચામાં ભાગ લીધો હતો.
રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયલ- ગાઝા યુદ્ધ વિરામની પુષ્ટિ કરી
ટી એસ તિરુમૂર્તિએ આગળ કહ્યું કે અમે ગાઝાથી ઈઝરાયલ પર ફેંકવામાં આવી રહેલા રોકેટ હુમલાની નિંદા કરીએછીએ. જેમાં ઘણા સામાન્ય નાગરિકો અને ભારતનો પણ એક નાગરિક મૃત્યુ પામ્યો છે. ત્યારબાદ ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ હુમલામાં પણ ગાઝામાં જાનહાનિ અને ઘણું નુકશાન થયું છે. આ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયલ- ગાઝા યુદ્ધ વિરામની પુષ્ટિ કરી છે બાયડને યુદ્ધ વિરામ માટે ઈઝરાયલને બિરદાવ્યુ છે. તેમણે કહ્યુ કે અમેરિકન આતંકવાદી ગ્રુપોથી ખુદને બચવા માટે ઈઝરાયલનું સમર્થન કર્યુ. બાયડને કહ્યુ કે તેમનું પ્રશાસન એ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે ભવિષ્ય માટે આઈરન ડોમ સિસ્ટમની પૂર્તિ કરવામાં આવે. બાયડને કહ્યુ કે મારુ માનવુ છે કે આપણી પાસે એક સાથે આગળ વધવાનો એક વાસ્તવિક પ્રસંગ છે અને હું આના માટે કામ કરવા પ્રતિબદ્ધ છુ.