આવતીકાલે ખેડૂતોએ કૃષિ કાયદકાના વિરોધમાં ભારતબંધનું એલાન કર્યું છે. જેમા રાજકીય પાર્ટીઓ દ્વારા પણ ખેડૂત સંગઠનોને સમર્થન આપવામાં આવ્યું છે.
આવતીકાલે 27 સપ્ટેમ્બરના રોજ ભારતબંધ
કૃષિકાયદાને લઈને ખેડૂતોનું ભારત બંધનું એલાન
રાજકીય પાર્ટીઓને ખેડૂતોનું સમર્થન
છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ કિસાન મોર્ચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. સંયુક્ત કિસાન મોર્ચાના કુલ 40 સંગઠનોની સાથે રાજકીય પાર્ટીઓ તેમના સમર્થનમાં આવી છે. જેથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં અત્યારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ખેડૂતો હવે આર ક્યાતો પારના મૂડમાં
આંદોલન શરૂ થશે 10 મહિના ઉપર થયા તેમ છતા પણ સરકાર દ્વારા કાયદાઓને રદ કરવામાં નથખી આવ્યા જેને કારણે ખેડૂતો હવે રોષે ભરાયા છે અને હવે તેઓ આર ક્યાતો પારના મૂડમાં જોવા મળી રહ્યા છે.
શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે ?
ભારત બંધને લઈને સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા કહેવામાં આવ્યું છે કે સવારના 6 વાગ્યા લઈને લઈને સાંજન 4 વા્યા સુધી ભારત બંધ રહેશે. જે સમયગાળામાં બધીજ સરકારી કચેરીઓ, શિક્ષણ સંસ્થાન, દુકાનો અને ઉદ્યોગો બંધ રહેશે. જ્યારે હોસ્પિટલો, દવાની દુકાનો એમ્બ્યુલન્સ સેવા જેવી ઈમરજન્સી સેવાઓને ચાલુજ રહેશે.
રાજકીય પાર્ટીઓનું ખેડૂતોને સમર્થન
સંયુક્ત કિસાન મોર્ચાના ભારત બંધને ઘણી રાજકીય પાર્ટચીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જેમા પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. બીજી તરફ બિહાર વિધાનસભાના નેતા તેજસ્વી યાદવે પણ ભારત બંધમાં શામેલ થવાની જાહેરાત કરી છે. તે સિવાય આમ આદમી પાર્ટી, આંધ્ર સરકાર, તૃણમૂલ કોંગ્રેસ જેવી મોટા ભાગની રાજકીય પાર્ટીઓ દ્વારા પણ ભારતબંધને સમર્થન આપવામાં આવ્યું છે.
દિલ્હીમાં અત્યારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સમગ્ર મામલે દિલ્હી પોલીસ દ્વારા ભારતબંધને લઈને અત્યારથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથેજ જે ખેડૂતો હાલ પ્રદર્શન કરી રહ્યા છે. તેમને પણ હાલ દિલ્હીમાં પ્રવેશ માટે ના પાડી દેવામાં આવી છે.