ભારત-ચીન સીમા વિવાદને લઇ બંને દેશો વચ્ચે મિલિટ્રી કમાન્ડર સ્તરની બેઠક યોજાઇ રહી છે. ત્યારે બેઠકમાં ભારતે ચીને ચેતવણી આપતા કહ્યું કે ચીનની સેના પેંગોંગ અને LAC પર જ્યાં જ્યાં હાજર છે ત્યાંથી પીછેહટ કરે. ચીન પાસે પીછેહટ કરવા સિવાય કોઇ વિકલ્પ નથી.
ભારત-ચીન વચ્ચે મિલિટ્રી કમાન્ડર સ્તરની યોજાઇ બેઠક
બેઠકમાં ભારતે ચીનને આપી ચેતવણી
5 મે પહેલાની સ્થિતિ સિવાય અન્ય કંઇ પણ મંજૂર નથી
મિલિટ્રી કમાન્ડર સ્તરની બેઠકમાં ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે ભારતને સીમા પર 5 મે પહેલાની સ્થિતિ સિવાય અન્ય કંઇ મંજૂર નથી. બંને દેશઓના અધિકારીક નિવેદનોમાં ડિસએંગેજમેન્ટની જટિલ અને લાંબી વેરિફિકેશન પ્રોસેસનો પણ ઉલ્લેખ હતો. ડેપ્સંગમાં પણ હાલાત તણાવપૂર્ણ છે. ત્યારે ચીન LAC મુદ્દે વાતચીત કરે અને ઉશ્કેરણી કરવાથી દૂર રહે તેવો પણ સંદેશ આપી દીધો છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખની લીધી મુલાકાત
ઉલ્લખનીય છે કે, શુક્રવારે રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખમાં હતા. જ્યાં તેઓ સામે સેનાએ ઉંચાઇવાળા વિસ્તારમાં ઇન્ટીગ્રેટેડ કમ્બાઇન્ડ ફોર્સના ઉપયોગનો નમૂનો રજૂ કર્યો. અને સ્પષ્ટ સંદેશ આપી દીધો કે ભારત બળ પ્રયોગથી પીછેહટ નહીં કરે. ભારત સમગ્ર રીતે તૈયાર છે અને એ પણ ઇશારો કરી દીધો કે ભારત ચીનની હરકતોનો જવાબ આપવામાં મોડું નહી કરે.
ભારત હવે ચીન પર વિશ્વાસ કરવા તૈયાર નથી
ભારત હવે 15 જૂન ગલવાન ઘાટીની ઘટના બાદ ચીન પર વિશ્વાસ કરવા તૈયાર નથી. અને ભારતનું જોર ડિસએંગેજમેન્ટના વેરિફિકેશન પર છે. પેંગોંગનો ઉત્તરી કિનારા પર હજુ પણ તણાવ છે. હાલ ચીની સેના માત્ર ફિંગર 4 અને 5થી જ હટી છે. જો કે ભારત ઇચ્છે છે કે ચીની સેના 8 કિલોમીટર પીછેહટ કરે અને પોતાના બેસ પણ પાછા લઇ જાય.