દુનિયાભરમાં કોરોનાની રસીને લાઈને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે થોડાક દિવસથી સૌથી આગળ રહેલી અને દુનિયાની નજર જેના પર છે તેવી ઓક્સફોર્ડની રસીનું પરિક્ષણ રોકી દેવામાં આવ્યું છે. ત્યારે આ ચિંતાની વચ્ચે ભારતની કોરોના વેક્સિનને લઇ સારા સમાચાર મળી રહ્યા છે. ભારતની કોરોનાની વેક્સિનને બીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી છે.
ભારત બાયોટેકની રસીના બીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી
ભારત બાયોટેકનો COVAXINના સફળ ટેસ્ટનો દાવો
વાનરો પર કરાયેલો ટેસ્ટ સફળ રહ્યાનો દાવો
ભારત બાયોટેકે બનાવેલી COVAXINનો વાનરો પર કરાયેલો ટેસ્ટ સફળ રહ્યાનો દાવો કરાયો છે. મળતી માહિતી મુજબ વાનરોના 4 સમુહો પર ટેસ્ટ કરાયો હતો.
વાનરોમાં પ્રતિરોધક ક્ષમતા વિકસિત થયાનો કંપની દ્વારા દાવો કરાયો. હાલમાં ICMR દ્વારા ભારતમાં 3 રસીનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા દ્વારા ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. ઝાયડસ કેડિલાની રસીનું ફેઝ-2માં 50 લોકોના ટેસ્ટ કરાયા છે.
ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા બનાવવામાં આવીએ રહેલી કોરોના વાયરસની રસીનાં ક્લિનિકલ ટ્રાયલમાં પહેલો ફેઝ સફળ રહ્યો છે. ટ્રાયલનાં શરૂઆતનાં પરિણામોમાં કહેવામાં આવ્યું છે કે રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડીલાની આ વેક્સીનનું છ શહેરોમાં હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે.
ભારતમાં 12 શહેરોનાં 375 લોકો પર આ રસીનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. અને દરેક વ્યક્તિને બે-બે ડોઝ આપવામાં આવ્યા. હવે તે બધા પર નજર રાખવામાં આવી રહી છે. અગાઉ ભારત બાયોટેક કંપનીએ પોલિયો, રેબીઝ, રોટાવાયરસ, જાપાની ઈનસેફ્લાઈટિસ, ચિકનગુનિયા અને જિકા વાયરસ માટે વેક્સીન બનાવી છે.