ચીનના રાજદૂત સન વેડોંગે તેના ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું, "દુનિયાભરમાં શાંતિ જાળવવી અને ભાગીદારી વિકાસને પ્રોત્સાહન આપવું એ ચીનની કૂટનીતિનું મૂળભૂત લક્ષ્ય રહ્યું છે."
ભારત-ચીન એકબીજા વિના રહી ન શકે: ચીન
બંને દેશો વચ્ચે ચાલી રહેલ ભાગીદારી અને મૈત્રીપૂર્ણ સહયોગ ક્યારેય બદલાશે નહીં: ચીન
શાંતિ જાળવી રાખવી અને ભાગીદારી વિકાસને પ્રોત્સાહન આપવું એ ચીનનું મૂળ લક્ષ્યઃ ચીન
કોરોના વાયરસના ફેલાવાને કારણે હાલમાં લોકડાઉનની વચ્ચે ફ્રાન્સ નિર્મિત રાફેલ લડાકુ વિમાનોની પ્રથમ ખેપ ભારત આવી ચૂકી છે. આ દરમિયાન, જુદી જુદી પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ ગઈ છે, અને આવા જ એક વેબિનાર દરમિયાન, ચીન કહે છે કે પાડોશી તરીકે મૂળભૂત વાસ્તિવક પરિસ્થિતિ, બંને દેશો વચ્ચે ચાલી રહેલ ભાગીદારી અને મૈત્રીપૂર્ણ સહયોગ ક્યારેય બદલાશે નહીં. ભારતમાં ચીનના રાજદૂત સુન વેડોંગે એમ પણ કહ્યું હતું કે બંને દેશો એક બીજા વિના રહી શકતા નથી, આ સત્ય પણ બદલાઈ શકે નહીં.
Safeguarding world peace & promoting common development has always been fundamental goal of #China's diplomacy. Since PRC founding 70 years ago, we have always pursued good-neighborly friendship, sought development with our neighbors & worked to make pie of cooperation bigger.
નવી દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇનીઝ સ્ટડીઝ (ICS) દ્વારા 'ચાઇના-ઈન્ડિયા રિલેશન્સ : ધ વે ફોર્વર્ડ' વિષય પર આયોજીત વેબિનારને સંબોધન કરતી વખતે, ચીનના રાજદૂત સુન વેડોંગે તેમના ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું, "દુનિયાભરમાં શાંતિ જાળવી રાખવી અને ભાગીદારી વિકાસને પ્રોત્સાહન આપવું એ ચીનનું મૂળ લક્ષ્ય છે."
To move #China-#India relations forward, I believe that we need to straighten our views on several key issues. First, #China is committed to peaceful development, and is not a“strategic threat”to #India.
"70 વર્ષ પહેલાં PRCની સ્થાપના બાદ અમે પડોશીઓ સાથે સારા મૈત્રીપૂર્ણ સંબંધો શોધી રહ્યા છીએ, પડોશીઓ સાથે વિકાસની ઇચ્છા રાખીએ છીએ અને સહયોગ વધારતા અમે આ દિશામાં કામ કર્યું છે... "
It is based on this judgment that #China's basic policy towards #India remains unchanged. Both sides should grasp fundamental interests of two countries & their peoples, stick to friendly cooperation & properly handle differences to bring bilateral relations back to normal track.
સન વેડોંગે આગળ લખ્યું છે કે, "આ નિષ્કર્ષના આધારે, ભારત પ્રત્યે ચીનની પાયાની નીતિ બદલાઈ નથી ... બંને પક્ષોએ બંને દેશો અને તેમના લોકોના મૂળભૂત હિતો માટે કાર્ય કરવું જોઈએ, મૈત્રીપૂર્ણ સહકાર જાળવવો જોઈએ, અને તેઓએ મતભેદોને સારી રીતે નિયંત્રિત કરવા જોઈએ, જેથી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય ટ્રેક પર પાછા આવી શકે... "