એક તરફ ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતની વિરુદ્ધમાં ષડયંત્ર રચી રહ્યું છે ત્યારે અન્ય તરફ ભારતને નુકસાન પહોંચાડવા માટે અન્ય મુદ્દે નવી ચાલ પણ ચાલી રહ્યું છે. હવે ચીને બ્રહ્મપુત્ર નદીને પોતાનું હથિયાર બનાવી છે. જેની મદદથી તે ભારતને આઘાત પહોંચાડવા ઈચ્છે છે. જો કે ભારત પણ આ દરેક ચાલબાજીને લઈને સતર્ક બની ચૂક્યું છે.
સીમા વિવાદ વચ્ચે ચીનની નવી ચાલ
ભારતની વિરુદ્ધ બ્રહ્મપુત્ર નદીને બનાવી રહ્યું છે હથિયાર
ભારત ચીનની દરેક ચાલને લઈને બની ચૂક્યું છે સતર્ક
બ્રહ્મપુત્રના પૂર માટે તંત્ર નહીં પણ ચીન જવાબદાર
આવું એટલા માટે કહેવાય છે કે બ્રહ્મપુત્ર નદીમાં જે પૂર છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું છે તે ફક્ત પ્રકૃતિનો પ્રકોપ નથી. આ ચીનની ચાલ છે, તે ચીનનું હથિયાર છે તેનાથી તે જ્યારે ઈચ્છે ત્યારે જેટલું ઈચ્છે તેટલું પાણી છોડે છે અને પાડોશી દેશને બર્બાદીના આરે લાવીને રાખી દે છે. બ્રહ્મપુત્ર નદીમાં દર વર્ષે પૂર આવે છે અને તેનાથી કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થાય છે. આ ચીનની પૂર્વયોજિત પૂરના કારણે હજારો લોકોના ઘર બર્બાદ થાય છે. આ માટે સ્થાનીય તંત્રને જવાબદાર ગણવામાં આવે છે પરંતુ તેને માટે તંત્ર નહીં ચીન જવાબદાર છે.
ભારતમાં પૂર લાવવાની તાકાત ચીનના હાથમાં
બ્રહ્મપુત્ર નદીનો કંટ્રોલ ચીનની પાસે છે કેમકે તે નદી તિબ્બતથી નિકળીને અરુણાચલ પ્રદેશ અને આસામ થઈને નોર્થ ઈસ્ટના અન્ય રાજ્યો સુધી પહોંચે છે. ચીનને બ્રહ્મપુત્ર પર અનેક બંધ બનાવ્યા છે અને ભારતમાં પૂર લાવવાની સ્થિતિ તેના હાથમાં રાખે છે. ચીનની આ ચાલને ભારત સારી રીતે સમજે છે અને સાથે આ મોર્ચે પણ પોતાની તાકાત વધારવાની સતત કોશિશ કરી રહ્યું છે.
ચીને હાલમાં જ મોટા પ્રમાણમાં બંધ બનાવ્યા છે. એક અનુમાન છે કે ત્યાં 80 હજારથી વધારે બંધ છે. તે ન તો ફક્ત પાણી છોડીને પૂર્વોત્તર ભારતમાં પૂર લાવી શકે છે અને જ્યારે જરૂર પડે ત્યારે પાણી રોકીને દુષ્કાળની સ્થિતિ પણ સર્જી શકે છે.