ભારત ચીન સીમા વિવાદની વચ્ચ નેપાળે પણ ગત દિવસોમાં લિપુલેખમાં સેનાની એક ટુકડી તૈનાત કરી ભારતને સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે તે ચીન બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ(બીઆરઆઈ) હેઠળ નેપાળથી લઈને તિબ્બત સુધી રેલ લાઈન નાંખી રહ્યું છે. જે ભારતીય સરહદની બહું જ નજીકથી પસાર થઈ રહી છે. રિપોર્ટ મુજબ ભારતની સાથે તણાવ વધતો જોઈ ન ફક્ત રેલ લાઈનના કામમાં સ્પીડ લાવવામાં આવી છે બલ્કે આ રેલવે ડીલમાં વધુ રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચીન નેપાળથી લઈને તિબ્બત સુધી રેલ લાઈન નાંખી રહ્યું છે
ચીન નવા સિલ્ક રોડના પ્લાન પર કામ કરી રહ્યું છે
ચીને કેટલાય દેશોમાં ઈન્ફ્રસ્ટ્રક્ચરના વિકાસ માટે ડિલ કરી છે
ઉલ્લેખનીય છે કે બીઆરઆઈ અંતર્ગત ચીન નવા સિલ્ક રોડના પ્લાન પર કામ કરી રહ્યું છે અને તે અંતર્ગત કેટલાય દેશોમાં ઈન્ફ્રસ્ટ્રક્ચરના વિકાસ માટે ડિલ કરી છે. પાકિસ્તાનમાં બની રહેલા ઈકોનોમિક કોરિડોરમાં આની ભાગીદારી છે. જો કે ચીને તિબ્બતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ટરમાં લગભગ 146 અરબ ડૉલર રોકાણ કરવાનો પ્લાન કર્યો છે. આ રોકાણ પહેલાથી જ જાહેર કરાયેલા પ્રોજેક્ટ્સને પુરા કરવા ઉપરાંત નવા પ્રોજેક્ટ શરુ કરવા માટે કરાયો છે. આમાં ઘણા લાંબા સમયથી નેપાસથી તિબ્બતની વચ્ચે રેલવે લિંકને પુરુ કરવાના કામનો પણ સમાવેશ થયો છે. ચીન તિબ્બત-નેપાળની વચ્ચે કાઠમંડુ અને તિબ્બતના બીજા શહેર શિગાત્સેને જોડનારી રેલવે લાઈન પર ભાર મુકી રહ્યો છે.
જોકે બીઆરઆઈ અંતર્ગત બની રહેલા પ્રોજેક્ટ્સ ભારત માટે સતત ખતરો બની રહેલો છે. પરંતુ આ રેલ લાઈન સામરિક દ્રષ્ટ્રિએ ઘણી ખતરનાક માનવામાં આવી રહી છે. બીઆરઆઈ અંતર્ગત 72 કિમી રેલવે લાઈન તિબ્બતથી કાઠમંડુ થઈ લુંબિની સુધી જશે અને ભારતીય સીમાની નજીક છે. અહીં નેપાળ ચીન અને ભારતની વચ્ચેનો બફર જોન છે. જેને ભારત આપણો પ્રાકૃતિક સાથી માને છે પરંતુ ચીને આ પ્રોજેક્ટ હેઠળ પોતાનો અડ્ડો બનાવવાની શરુઆત કરી દીધી છે. ચીન સતત નેપાળના ઈન્ફ્રસ્ટ્રક્ચરથી જોડાયેલા પ્રોજેક્ટમાં મોટા સ્તરે રોકાણ કરે છે. બીજી તરફ પેંટાગને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે બીઆરઆઈ અને અન્ય રોકાણના માધ્યમથી ચીન ભારતની ચારે બાજુમાં રહેલા દેશોમાં પોતાનો સેના અડ્ડો બનાવી રહ્યું છે.