ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિથી વિશ્વના શક્તિશાળી દેશ પણ ચિંતિત છે. બન્ને દેશોની સેનાઓ આધુનિક હથિયારોની સાથે બોર્ડર પર તૈનાત છે. LAC(Line Of Actual Control) પર વધતા તણાવને જોતા રશિયા પણ ચિંતામાં છે. એશિયાની બે મોટી શક્તિ વચ્ચે તણાવને લઈને રશિયા ચિંતામાં છે.
ભારત-ચીન વચ્ચે તણાવ વધશે તો આખા યુરેશિયા ક્ષેત્રમાં આવશે અસ્થિરતાઃ રશિયા
ભારતને S-400 આપવા રાત-દિવસ કર્મચારીઓ કરી રહ્યા છે કામઃ રશિયા
રશિયાએ કહ્યું કે, જો ભારત-ચીન વચ્ચે બોર્ડર પર તણાવ વધશે તો આખા યૂરેશિયન ક્ષેત્રમાં અસ્થિરતા વધશે. આ સાથે જ રશિયાએ ભારતને અપાતા હથિયાર S-400ને જલ્દીથી જલ્દી ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન પણ આપ્યું છે.
ટેન્શન વચ્ચે S-400 ખુબજ મહત્વના
ભારત અને ચીનના તણાવ વચ્ચે રશિયા જો ભારતને S-400 મિસાઇલ આપે છે તો ભારતને નક્કી રીતે સૈન્ય તાકાત વધશે. રશિયામાં ટ્રાયમ્ફ અને નાટોના સભ્યો દ્વારા ગ્રોવલરના રૂપમાં ઓળખાતા S-400 પરતથી હવામાં મારનારી રક્ષા પ્રણાલી દુનિયામાં સૌથી ઉન્નત સિસ્ટમમાંથી એક છે. મધ્યમથી લાંબી દૂરી સુધી, આનો રડાર 400 કિલોમીટર(249 મીલ)ના બોર્ડર સુધી આવનારા વિમાનોને સ્પૉટ અને ટ્રેક કરી શકે છે અને લક્ષ્ય પર કેટલીક મિસાઇલોથી હુમલો કરી શકે છે.
ભારત ચીન તણાવ, રશિયા ચિંતિત
ઑનલાઇન મીડિયા બ્રીફિંગમાં રશિયાના ઉપ મિશન પ્રમુખ રોમન બાબુશ્કિને કહ્યું કે, તેમનો દેશ સ્વાભાવિક રીતે એશિયાની બે તાકાતો વચ્ચે તણાવથી ચિંતિત છે. તેમની સાથે જ તેમણે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે સકારાત્મક સંવાદ ખુબ જ મહત્વપૂર્ણ છે. ભારત અને ચીન શંઘાઈ સહયોગ સંગઠન અને બ્રિક્સના સભ્ય હોવાના સંદર્ભ આપે છે બાબુશ્કિને કહ્યું કે, જ્યારે બહુપક્ષીય મંચ પર સહયોગની વાત આવે છે તો સન્માનજક સંવાદ જ મુખ્ય હથિયાર છે.
ભારત-ચીન તણાવની વૈશ્વિક અસર
તેમણે કહ્યું કે, આ સ્પષ્ટ છે કે વૈશ્વિક ઉથલ-પાથલ અને અનિશ્ચિતતા વચ્ચે ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે તો આની અસર યૂરેશિયા વિસ્તારની સ્થિરતા પર પડશે. આપણે જોયું છે કે આ ઘર્ષણનો દૂરૂપયોગ અન્ય સક્રિય તાકાતો દ્વારા પોતાના ભૂ-રાજકિય હિત માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, અમે માનીએ છીએ કે આમારા બન્ને મિત્રો એશિયાઇ દેશ તરફ વધુ સકારાત્મક વાતચીત માટ પ્રોત્સાહિત કરના મહત્વપૂર્ણ છે.