ભારત અને ચીન પોતાના 12 વર્ષ જૂની રક્ષા સમજૂતિને લઈને ફરી એકવાર વાતચીત કરવા સાથે આવ્યા છે. બન્ને દેશ પોતાના રક્ષા મંત્રાલયો વચ્ચે એક હોટલાઈન તૈયાર કરવા માટે પરસ્પર સંબંધોને મજબૂત કરવાના કામમાં લાગ્યા છે.
પીએમ મોદી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ સાથે નવી દિલ્લીમાં ચીનના રક્ષામંત્રી જનરલ વેઈ ફેંગએ મુલાકાત કરી હતીઅને આ મુદ્દે ચર્ચા થઈ અને બન્ને દેશએ આ મુદ્દે સહમતિ દર્શાવી છે. ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ વૂ કિયાને જણાવ્યું કે ગત સપ્તાહની બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનશપગ સુધી આ વાત પહોંચાડવામાં આવી છે.
જો ભારત અને ચીન વચ્ચે સારી વાતચીત થાય તો તેની અસર ભારત અને પાકિસ્તાન સંબંધો પર પડી શકે છે. ચીન પહેલા જ પાકિસ્તાનની સાથે સીપીઈસી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.
મહત્વનું છે કે ચીને તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાનના સંબંધો વચ્ચેનો તણાવ દૂર થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ક્ષેત્રીય શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં સુધાર અને વિકાસ જરૂરી છે. તો આ સાથે જ ડોકલામ વિવાદનો પણ અંત આવી શકે છે અને ભારતીય સેના અને પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચેના સંબંધો સુધારવા પર ભાર મુકવામાં આવશે.