ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ બાદ બંને દેશોની વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ સમયે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બંને દેશ આ તણાવની સ્થિતિને ઓછી કરવા માટે આ અઠવાડિયે વાતચીત કરે તેવી શક્યતા છે.
ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ
બંને દેશો વચ્ચે આ અઠવાડિયે થઈ શકે છે વાતચીત
તણાવની સ્થિતિને ઓછી કરવા માટે થઈ શકે છે બેઠક
ભારત અને ચીન વાતચીતના રસ્તા બંને દેશોની વચ્ચેના તણાવને ઓછો કરવાની કોશિશમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એકવાર ફરી બંને દેશ તણાવને ઓછો કરવા માટે વાતચીત કરી શકે છે. આ અઠવાડિયે આ વાતચીત રાજકીય સ્તરે થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં એલએસી પર ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સેનામાં 15 જૂને હિંસક ઝડપ થઈ હતી. તેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા તો અન્ય તરફ ચીનના 45થી વધુ સૈનિકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. તેમાંથી કેટલાક મૃત્યુ પણ પામ્યા હતા. ચીન તરફથી સૈનિકોના મોતનો કોઈ આંક જાહેર કરવામાં આવ્યો નથી.
બંને દેશો વચ્ચે વધી રહી છે તણાવની સ્થિતિ
આ હિંસક ઝડપ બાદ બંને દેશોમાં તણાવ વધી રહ્યો છે. ઘટના બાદ બંને દેશોની વચ્ચે વાતચીત પણ થઈ હતી. ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપના બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે ન તો કોઈ આપણી સીમામાં ઘૂસ્યું છે અને ન આપણી કોઈ પોસ્ટ અન્યના કબ્જામાં છે. લદ્દાખમાં આપણા 20 જાબાંજ શહીદ થયા છે. પરંતુ જેઓએ ભારત માતાની તરફ આંખ ઉઠાવીને જોયું હતું તેમને સબક શીખવીને ગયા છે.
અપાશે ખાસ રીતે જવાબ
ભારત - ચીનની સાથે તણાવની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાના પ્રમુખો સિવાય સીડીએસ બિપિન રાવતની સાથે બેઠક કરી હતી. બેઠકમાં લદ્દાખમાં જમીનની સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા અને એલએસીની સાથે તૈયારીઓનું આકલન કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું છે કે બેઠકમાં નક્કી કરાયું છે કે ભારત એલએસી પર તણાવને વધારવા ઈચ્છતું નથી અને જો અન્ય પક્ષ પણ આવું કરશે તો તેમને કડક રીતે જવાબ આપવામાં આવશે.