પૂર્વી લદ્દાખમાં બોર્ડર વિવાદ પર ભારત-ચીન વચ્ચે બેઠક યોજાવાનો મંચ તૈયાર થઈ ગયો છે. બંને દેશ વચ્ચે ચાલતા તણાવને ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકલ કમાન્ડર, ડેલિગેશન લેવલ અને હાઈએસ્ટ કામાન્ડર સ્તરી વાતચિત થઈ હતી પરંતુ મિટીંગના અંતે કોઈ નિર્ણય લેવાયો ન હતો. હવે લેફ્ટિનન્ટ જનરલ હરિન્દરસિંહ અને ચીનના મેજર જનરલ લિયુ લિન વચ્ચે LAC પર ચાલતા વિવાદને લઈને ચર્ચા કરશે. પરંતુ આ બેઠક પહેલા બંને દેશોએ પોતાના દેશનો એજન્ડા એક બીજાને આપવાનો હોય છે અને બાદમાં બેઠકમાં આ એજન્ડાના મુદાઓ ચર્ચાય છે. પરંતુ હજુ સુધી બંને પક્ષોએ કોઈ પ્રકારનો લેખિત એજન્ડા આપ્યો નથી.તેને લઈને બેઠક ખરેખર થશે કે કેમ તે સવાલ ઉભા થઈ રહ્યા છે.
આજે ભારત - ચીન વચ્ચે બેઠક
લદાખ સીમા વિવાદ પર બંને દેશો વચ્ચે બેઠક
4 થી 5 મુદ્દાઓ પર બેઠકમાં થઈ શકે છે ચર્ચા
આજે મળનારી બેઠકમાં ગલવાન વિસ્તાર, પૈંગોગત્સો અને ગોગરા વિસ્તાર પર ચર્ચા થશે. ખાસ કરીને પૈંગોગ ત્સોમાં ચીનના સૈનિકોએ ઘૂષણખોરી કરી હતી તેને લઈને વિવાદ વકર્યો હતો. હવે આ બેઠકમાં શું નિર્ણય આવે છે તેના પર વિશ્વની નજર છે.
14 Corps Commander Lieutenant Gen Harinder Singh will hold discussions with Maj Gen Liu Lin, who is the commander of South Xinjiang Military Region of Chinese People’s Liberation Army to address ongoing dispute along Line of Actual Control in Eastern Ladakh: Indian Army Sources https://t.co/jbEO0ztDHW
બંનેમાંથી એકય દેશે લેખિતમાં કોઈ પ્રકારનો એજન્ડા આપ્યો નથી.
બેઠકમાં મેજરો આ એજન્ડા પર ચર્ચા કરતા હોય છે
પરંતુ કોઈ એજન્ડા ન આપ્યો હોવા છતા શું ચર્ચા થશે તે સવાલ.
જો નિરાકરણ આવશે તો લેખિત એજન્ડાથી આવવાની શક્યતા.
ગલવાન વિસ્તાર, પૈંગોગત્સો અને ગોગરા વિસ્તાર પર ચર્ચા થશે.
બેઠકમાં ભારત પૈંગોગ ત્સોમાં ચીનના સૈનિકોની ઘૂષણખોરીનો મુદ્દો ઉઠાવશે.
ચીને પસંદ કર્યો નવો કમાન્ડર
સરહદ પર ચાલી રહેલા તણાવને કારણે ચીને ભારતીય સરહદ પર તૈનાત સૈનિકો માટે નવા કમાન્ડરની પસંદગી કરી છે. પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાન્ડની સત્તાવાર વેબસાઇટ પર, જાહેરાત કરવામાં આવી છે કે ચીને લેફ્ટનન્ટ જનરલ શુ કિલિંગને નવા કમાન્ડર તરીકે નિમણૂક કરી છે. પીએલએની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ 3488 કિલોમીટર લાંબી એલએસી પર નજર રાખે છે. શનિવારની બેઠક પહેલા ચીને આ નિર્ણય લીધો છે.
વિવાદનું સમાધાન કરવાની કોશિશ કરાશે
સીમા વિવાદને આ રીતે હલ કરવા બંને સેનાના બીજા ઉચ્ચ ક્રમાંકિત અધિકારીઓની બેઠક ખૂબ જ વ્યૂહાત્મક અને રાજકીય ઘટના છે. ભારત અને ચીન વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવાની જવાબદારી આ વરિષ્ઠ સૈન્ય સત્તાઓના ખભા પર રહેશે. બંને લેફ્ટનન્ટ જનરલો વિવાદના સ્થળેથી 20 કિલોમીટરથી ઓછા અંતરે પેનગોંગ ત્સો તળાવ કિનારે મળવાના છે.
ભારત જવાબ આપવા માટે તૈયાર
મે મહિનાની શરૂઆતમાં થયેલા અથડામણને કારણે, વિશ્વની બે સૌથી મોટી સેના સામ-સામે આવી. બંને સૈન્યના સૈનિકો ચૂશુલથી ઉત્તરમાં 4 પોઇન્ટ પર ઊભા છે. સ્વાભાવિક છે કે કોઈ પણ પીછેહઠ કરવા માંગતું નથી. ચીનને તેની મર્યાદામાં રહેવાની આદત નથી અને ભારત ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારાઓને યોગ્ય જવાબ આપવા પણ પ્રતિબદ્ધ છે.