LAC પર તણાવ વચ્ચે રશિયાની રાજધાની મૉસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની મુલાકાત થઇ. એસ. જયશંકરની ચીનના વિદેશ મંત્રી વાંય યી સાથે મુલાકાત શંઘાઈ સહયોગ સંગઠન(SCO) પહેલા થઇ. એસ. જયશંકર અને વાંગ યીની આ મુલાકાત અઢી કલાક સુધી ચાલી.
ભારત અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે મૉસ્કોમાં બેઠક
રશિયામાં SCOની બેઠક માટે બન્ને દેશોના મંત્રીઓ પહોંચ્યા છે
લદ્દાખ તણાવ પર થઇ ચર્ચા
બન્ને દેશોના નેતા SCOના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે મૉસ્કોમાં છે. ત્યારે આ દરમિયન બન્ને દેશો વચ્ચે સેન્ય તણાવને લઇને ચર્ચા થઇ હતી. જણાવી દઇએ કે, લદ્દાખ બોર્ડર પર છેલ્લા કેટલાક દિવસો પહેલા હલચલ વધી છે. ચીનના ભારતીય ક્ષેત્રમાં સતત ઘુષણખોરના પ્રયાસો થતા રહ્યા છે. 29-10 ઓગસ્ટની રાત્રે પૈંગોંગ લેકના દક્ષિણના છેડે ચીની સૈનિકોએ ઘુષણખોરીના પ્રયાસો કર્યો તો ભારતીય સૈનિકોએ તેમને ખદેડી દીધા.
ભારતીય વિસ્તારમાં ઘુસવાના ચીનના પ્રયાસો એટલે જ ન અટક્યા. ત્યાર બાદ ત્રણ દિવસ સતત ચીની સૈનિકોએ ઘુષણખોરીના પ્રયાસો કર્યા. ચીનના રેજાંગ લા પર કબજો જમાવવાના પણ પ્રયાસ કર્યા હતા અને હથિયારોની સાથે અંદાજિત 50 સૈનિકો આવ્યા હતા. પરંતુ ભારતીય જવાનોએ ફરી ચીનના પ્રયાસોને સફળ ન થવા દીધા.
ચીનના રક્ષા મંત્રીને મળ્યા હતા રાજનાથસિંહ
ગત અઠવાડિયે રક્ષા મંત્રી રાજનાથસિંહે પોતાના ચીની સમકક્ષ વેઈ ફેંધે સાથે મુલાકાત કરી હતી. મૉસ્કોમાં થયેલી આ મુલાકાત બે કલાકથી વધુ ચાલી હતી. બેઠકમાં ચીનના રક્ષામંત્રીએ ફરી એક વખત પોતાની સેનાની વાત કરી અને કહ્યું કે ચીનની સેના કોઇ પણ મુકાબલાનો સામનો કરવા માટે તૈયાર છે. ત્યારે, રાજનાથસિંહે કહ્યું કે, અમને આશા છે કે, ચીન એક જવાબદાર રાષ્ટ્ર જેવું વલણ દાખવે અને લદ્દાખમાં LAC પર તૈનાત પોતાની સેનાને સમગ્ર રીતે પરત કરવા માટે નિર્ણય લે. ભારતે કહ્યું કે, ચીને કોઇ પણ એવું પગલું ન ભરવું જોઇએ કે જેનાથી બન્ને દેશોના સંબંધો વધુ બગડે.
મુલાકાતને લઇને ગ્લોબલ ટાઇમ્સે શું લખ્યું?
ત્યારે, વિદેશ મંત્રીઓની મુલાકાત પર ચીની સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, જો ચીન અને ભારતના વિદેશ મંત્રીઓની બેઠકથી સકારાત્મક પરિણામો નથી નિકળતા અથવા બન્ને પક્ષ સમજૂતિ પર અમલ નથી થતા તો આ એક ખતરનાક સંકેત હોઇ શકે છે. જેનો મતલબ હશે કે ચીન અને ભારતમાં શાંતિમાં સમાધાન નિકળવાની ઓછી સંભાવના છે. વધુમાં લખ્યું કે, ચીન અને ભારતના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક બોર્ડર પર તણાવને ઓછો કરવા માટે મહત્વપૂર્ણ હશે.