ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ હવે સરહદ પર ચીની સેના નરમ પડી રહી છે. સેના 2 કિમી સુધી પાછળ હટી રહી છે પરંતુ ચાલબાજ ચીનની બેવડી નીતિ સામે આવી રહી છે કારણ કે એક તરફ ચીની વિદેશ મંત્રાલય સેના પાછળ હટવાની વાત કરી રહ્યું છે જ્યારે બીજી તરફ ચીની સરકારી મીડિયા દ્વારા સતત ભારતને ધમકીઓ આપવામાં આવી રહી છે.
જો ભારતની સેના સમજૂતીનું પાલન નહીં કરે તો પરિણામ ખરાબ આવશે : ચીન
ચીની સરકારી અખબારમાં ભારતને ધમકી
સરહદ પર શાંતિ સ્થાપવા ભારત અને ચીન તૈયાર
ચીનની બેવડી નીતિ
ચીને ગુરુવારે કહ્યું કે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોનું પાછળ હટવું એક પ્રભાવી પગલું છે જેના કારણે હાલત સ્થિર થઇ રહ્યા છે. ચીન અનુસાર અથડામણવાળી જગ્યા પર સૈનિકો હટાવવા પર સહમતી બની છે. બીજી તરફ ચીનની સરકારી મીડિયા સતત ભારત પર હુમલાઓ કરી રહ્યું છે.
સરકારી અખબારમાં ખુલી ધમકી
ભારત અને ચીન વચ્ચે લાંબા સમય સુધી ઘર્ષણ બાદ ચીની વિદેશમંત્રાલયે પુષ્ટિ કરી છે કે લદાખમાં અસ્થાયી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવામાં આવ્યું છે ને સૈનિકોને હટાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યાં બીજી તરફ ચીની સરકારી મીડિયા દ્વારા સતત ભારત પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ચીની સરકારી અખબાર ચાઈના ડેલીએ લખ્યું છે કે ભારતીય સેનાએ હવે કરારોનું સન્માન કરવું જોઈએ નહીં તો પરિણામ ખરાબ હોઈ શકે છે. જે બાદ હવે ચીનની બેવડી નીતિનો ખુલાસો થયો છે.
ચાઈના ડેલીમાં અથડામણ માટે ભારતીય સેનાને જવાબદાર ઠેરવવામાં આવી છે અને ભારતને સલાહ આપતા કહ્યું કે ભારતીય સેના સરહદ પર થયેલી સમજૂતીનું પાલન કરશે તો આ પ્રકારની ઘટનાઓ ફરીથી થવાની સંભાવનાઓ ઓછી છે.
ચારે તરફથી ઘેરાયું છે ચીન
ચીન ભલે ભારત પર આક્રમક થવાનો આરોપ લગાવી રહ્યું હોય પરંતુ ચીન વિશ્વમાં ચારે તરફથી ઘેરાઈ ગયું છે. અમેરિકા અને ઓસ્ટ્રેલીયા જેવા દેશો ચીનની વિસ્તારવાદીનીતિ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. અમેરિકાએ તો યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેની તૈયારીઓ શરુ કરી દીધી છે. સાઉથ ચાઈના સીમાં પણ ચીનનો વિવાદ વધી રહ્યો છે જ્યારે ઉઈગુર મુસ્લિમ અને હોંગકોંગ જેવા મુદ્દા પણ ઉઠી રહ્યા છે.