ઓછા થઈ રહેલા તણાવની વચ્ચે ચીને પહેલી વાર માન્યુ છે કે ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતા.
ચીને પહેલી વાર માન્યુ છે કે ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતા
રુસ એજન્સી TASSએ 45 ચીની જવાનમાં મર્યા હોવાની વાત કરી હતી
ચીને મર્યા ગયેલાનો સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી
ચીને પહેલી વાર માન્યુ છે કે ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતા
લાઈન ઓફ એક્ચ્યૂલ કન્ટ્રોલ પર ભારત અને ચીનના સંબંધોમાં જામેલો બરફ ધીરે ધીરે પીગળી રહ્યો છે. ઓછા થઈ રહેલા તણાવની વચ્ચે ચીને પહેલી વાર માન્યુ છે કે ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતા. ચીને ગત વર્ષ જૂનમાં થયેલી હિંસક અથડામણ દરમિયાન માર્યા ગયેલા 4 સૈનિકોની જાણકારી શેર કરી છે. આ લોહિયાળ અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થઈ ગયા હતા.
જો કે ચીન ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પીએલએ સૈનિકોના આંકડા ઘણા ઓછા ગણાવી રહ્યું છે. ગત દિવસોમાં નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટિનેન્ટ જનરલ વાઈ કે જોશીએ જણાવ્યું હતું કે ગલવાનની અથડામણ બાદ 50 ચીની સૈનિકોને વાહનોના માર્ફતે લઈ જવાયા હતા. આ ગલવાનમાં ચીની સેનાના ઘણા લોકો માર્યા ગયા હતા.
રુસ એજન્સી TASSએ 45 ચીની જવાનમાં મર્યા હોવાની વાત કરી હતી
નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટિનેન્ટ જનરલ વાઈ કે જોશીના જણાવ્યાનુંસાર ચીની સૈનિક 50થી વધારે સૈનિકોને વાહનોમાં લઈ જઈરહ્યા હતા. પરંતુ તે ઘાયલ હતા કે માર્યા ગયા હતા તે કહેવું મુશ્કેલ છે. વાઈ કે જોશીએ કહ્યું હતુ કે રુસ એજન્સી TASSએ 45 ચીની જવાનમાં મર્યા હોવાની વાત કરી હતી. અને અંદાજો પણ આની આસપાસનો જ છે.
શું હતો મામલો
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ જૂનમાં પૂર્વ લદ્દાથમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સૈનિકોની વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. આ અથડામણમાં ચીના પણ અનેક સૈનિકો માર્યા ગયા હતા. પરંતુ ચીને આને લઈને કોઈ સત્તાવાર આંકડા જારી નથી કર્યા.