ભારત-ચીન વિવાદ પર પૂર્વ PM મનમોહનસિંહે ગલવાનના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ગલવાનમાં ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ કુરબાની આપી છે. દેશના સપૂતોએ અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરી છે. શહીદોનું બલિદાન વ્યર્થ ન જવુ જોઇએ.
ભારત-ચીન વિવાદ પર પૂર્વ PM મનમોહનસિંહનું નિવેદન
ગલવાનમાં ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ કુરબાની આપી: મનમોહનસિંહ
દેશના સપૂતોએ અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરી: મનમોહનસિંહ
મનમોહન સિંહે એમ પણ કહ્યું હતું કે સરકારના નિર્ણયો નક્કી કરશે કે ભવિષ્યનું આંકલન કેવી રીતે થશે. દેશનું નેતૃત્વ કરનાર ખંભા પર મહત્વની જવાબદારી છે. આપણા પ્રજાતંત્રમાં આ જવાબદારી પ્રધાનમંત્રીની છે.
મનમોહન સિંહે એમ પણ કહ્યું હતું કે PMએ પોતાના શબ્દો પર ખુબ જ સાવધાન રહેવું જોઇએ. ચીને ભારતીય સીમામાં એનેકવાર જબરજસ્તીથી ઘુષણખોરી કરી છે.
ઘૂસણખોરી અંગે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે કહ્યું કે અમે તેમની ધમકીઓ અને દબાણ સામે ન તો નમીશું ન તો આપણી પાર્થિવ અખંડિતતા સાથે કોઈ સમાધાન સ્વીકારીશું. વડા પ્રધાને તેમના નિવેદનથી તેમના કાવતરાંના વલણને બળ ન આપવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે સરકારના તમામ અંગો આ ખતરોનો સામનો કરવા માટે ગંભીર છે અને તેને રોકવા માટે પરસ્પર સંમતિથી કાર્ય કરે છે.
પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે કહ્યું કે આ જ સમય છે જ્યારે સમગ્ર રાષ્ટ્રને એક થવું પડશે અને સંગઠિત થવું પડશે અને આ દુષ્સાહસનો જવાબ આપવો પડશે. અમે સરકારને ચેતવણી આપીશું કે ગેરમાર્ગે દોરનારા પ્રચાર કદી કુટનીતિ અને મજબૂત નેતૃત્વનો વિકલ્પ ન હોઈ શકે. આશ્રિત સાથીઓ દ્વારા કરવામાં આવેલા આડંમ્બરને જુઠ્ઠાણાના પ્રચાર હેઠળ સત્યને દબાવવામાં આવી શકતું નથી.