ચીન અને ભારત વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. લદાખમાં સંઘર્ષ વચ્ચે આવતીકાલે ફરીથી ભારત અને ચીન વચ્ચે વાતચીત થઇ શકે છે તેવી સંભાવના છે ત્યારે પાકિસ્તાનના કબ્જા હેઠળનાં કાશ્મીરમાં ચીની એરક્રાફ્ટ દેખાતા ભારતીય એજન્સીઓ અલર્ટ થઇ ગઈ છે.
લદાખથી સો કિમી દૂર સ્કાર્દૂમાં ચીનનું કાવતરું
પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરીને ચક્રવ્યૂહ
યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પાકિસ્તાની એરબેઝનો ઉપયોગ કરી શકે છે ચીન
સ્કાર્દૂ લેહથી માત્ર 100 કિમી જ દૂર છે
પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં સ્કાર્દૂ એરબેઝમાં ચીની વાયુસેનાની ગતિવિધિઓના કારણે ભારતની એજન્સીઓ અલર્ટ થઇ ગઈ છે. જૂન મહિનામાં જ ચીનના 40થી વધુ ચીની ફાઈટર જેટ જે 10 સ્કાર્દૂ ગયા છે. આશંકા છે કે ચીની વાયુસેના ભારત પર હુમલો કરવા માટે પાકિસ્તાની જમીનનો ઉપયોગ કરી શકે છે. સ્કાર્દૂ લેહથી માત્ર 100 કિમી જ દૂર છે અને ચીનના જેટલા પણ એરબેઝથી તેની તુલનામાં ભારતથી ખૂબ નજીક છે. ચીની વાયુસેના અત્યારે સ્કાર્દૂ એરબેઝની ક્ષમતા તપાસી રહી છે જેથી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભારત માટે સમસ્યા ઉભી કરી શકે છે.
ભારત વિરુદ્ધ ષડ્યંત્ર
ચીન પાસે લદાખની નજીકમાં ત્રણ એરબેઝ છે જ્યાં ફાઈટર જેટથી કાર્યવાહી કરી શકે છે. કાશ્ગર, ખોતાન ને નગ્રી ગુરુસંગામાં ચીનનું એરબેઝ છે ત્યારે કાશ્ગર લેહથી 625 કિમી, ખોતાન લેહથી 390 કિમી જ્યારે ગુરુસંગા લેહથી 330 કિમી દૂર આવેલુ છે. આ જ કારણ છે કે ચીન હવે પાકિસ્તાનમાં વિવિધ પરીક્ષણ કરી રહ્યું છે જેથી તે જમીનથી ભારત વિરુદ્ધ ષડ્યંત્ર રચી શકાય.
પાકિસ્તાનના કબ્જા હેઠળનાં કાશ્મીરનું સ્કાર્દૂ ભારતથી માત્ર 100 કિમી દૂર છે તેથી ચીની ફાઈટર જેટ સરળતાથી પાછા ફરી શકે છે. એવામાં જો ભારત વળતો પ્રહાર કરે તો પાકિસ્તાનને પણ યુદ્ધ કરવાનું બહાનું મળી જશે. ચીની વાયુસેનાના વિમાન અહિયાં અભ્યાસ કરતા જોવા મળ્યા છે.
ભારતીય એજન્સીઓ અલર્ટ
નોંધનીય છે કે ભારત સાથે તણાવ બાદથી ચીન સતત પોતાનું ચક્રવ્યૂહ બનાવી રહ્યું છે. અહેવાલ મુજબ પહેલા પણ ખબર આવી હતી કે ચીને ગુજરાત બોર્ડર પાસે પાકિસ્તાનમાં બંકર બનાવી લીધા છે. આટલું જ નહી નેપાળમાં પણ ચીન પોતાનું બેઝ કેમ્પ બનાવી શકે છે ત્યારે હવે ભારતીય એજન્સીઓ આ મુદ્દે અલર્ટ થઇ ગઈ છે.