કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપે પ્રહાર કર્યા છે. ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ કહ્યું કે, બલિદાન વ્યર્થ નહીં જાય, ભારતની એકતા માટે કંઇ પણ કરવું પડે તો અમે કરીશું. અમે દુઃખી પણ છીએ અને ગુસ્સામાં પણ છીએ, કારણ કે રાહુલ જે પ્રકારે વ્યવહાર કરી રહ્યા છે બેજવાબદાર છે.
કોંગ્રેસના પ્રહાર પર ભાજપે આપ્યો જવાબ
સંબિત પાત્રાએ રાહુલ ગાંધીએ આરોપો પર આપ્યો જવાબ
કોંગ્રેસ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે સંધિનો કર્યો ઉલ્લેખ
સંબિત પાત્રાએ કહ્યું કે, જે પ્રકારે અવિશ્વાસ ભારત પ્રત્યે રાહુલ ગાંધી દેખાડે છે, તે ગેરજવાબદાર છે, તમે પ્રધાનમંત્રી વિશે જે નિવેદન આપો છો, તે ખોટું છે. જ્યારે તમે (રાહુલ ગાંધી) કહે છે કે ડરેલા પ્રધાનમંત્રી, ત્યારે તમે એક વ્યક્તિ પર નહીં સમગ્ર દેશ પર હુમલો કરી રહ્યા છો.
રાહુલ ગાંધીથી સંબિત પાત્રાએ પૂછ્યું કે શું તમે દેશને ઉંઘતો જણાવી રહ્યા છો, જ્યારે આપણા 20 જવાનોએ પોતાની શહીદી વ્હોરી છે. તમે એ જણાવી રહ્યો છો કે ભારતે પોતાના સૈનિકોને નિર્હત્થા છોડી દીધા, તમને જ્ઞાન નથી તો વાંચો. 2008માં કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચીને એક સંધિ કરી હતી.
સંબિત પાત્રાએ કહ્યું કે, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની હાજરીમાં એક સંધિ થઇ હતી, જેમાં પાર્ટી લેવલ પર એ થયું તું કે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દે બન્ને પાર્ટીઓ એકબીજા સાથે વાતચીત કરશે. રાહુલ ગાંધી આ સંધિ વિશે કેમ નથી બોલતા.
વિદેશમંત્રીએ કહ્યું કે, ગલવાન ઘાટીમાં ઘર્ષણ સમયે સૈનિકો પાસે હથિયાર હતા. સંધિને કારણે હથિયારનો ઉપયોગ નથી કર્યો. બોર્ડર પર તૈનાત દરેક સૈનિક હથિયારથી સજજ હોય છે. 15 જૂને પણ સૈનિકો હથિયાર સાથે જ સજજ હતા.
રાહુલે શું કહ્યું હતું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન બોર્ડર વિવાદ પર કેન્દ્ર સરકારે પ્રહાર કર્યા હતા. ગુરૂવારે રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. જેમાં તેમણે સવાલ કર્યા કે ચીને અમારા શસ્ત્રહીન સૈનિકોની હત્યા કરી દીધી એટલા માટે કોણ જવાબદાર છે?
રાહુલ ગાંધીએ પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે, ચીને હિંદુસ્તાનના સૈનિકોની હત્યા કરીને બહુ મોટો ગુનો કર્યો, આ વીરોને વગર હથિયારે ખતરા તરફ કોણે મોકલ્યા, શા માટે મોકલ્યા? અંતે કોણ છે જવાબદાર?